March 23, 2026
ગુજરાત

નવરાત્રીના ગરબા ઉપર પણ GSTની કુદ્રષ્ટિ પડી, ગરબાના પાસ ઉપર ૧૮ % GST લાગુ

નવરાત્રિમાં ગરબાનાં સિઝન પાસ પર 18 % GST લાદવામાં આવ્યો છે. જેને લઈ ખેલૈયાઓમાં ભારે નારાજગી છે.  આ મામલે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને આવી છે. અને કોંગ્રેસનાં કાર્યકરોએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી વડોદરા કચેરી જઈ પટાંગણમાં સરકારી નીતિનો ગરબા ગાઈને વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા ગરબા પર 18 ટકા જીએસટીની જાહેરાત કરી છે. જેને લઈને ખેલૈયાઓમાં નારાજગી ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં દેશમાં સૌથી મોટું નવરાત્રીના પર્વ દરમિયાન ગરબાઓનું આયોજન કરવામાં આવે છે. ખેલૈયાનું કહેવું છે કે આ ચુનાવી સ્ટંટ છે. તો વળી અન્યનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય તઘલખી છે. હિંદુઓના ધાર્મિક તહેવારો પર ટેક્સ સાખી નહીં લેવાની વાત કરવામાં આવી હતી.

આ વખતે ગરબા રમવા મોંઘા પડશે. GST વધારાની અસર ખેલૈયાઓના ખિસ્સા પર પડવાની છે. જેના લીધી ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જોકે ડેઇલી પાસમાં GST ચુકવવો નહીં પડે. જોકે સિઝન પાસ પર 18 ટકા જીએસટી આપવું પડશે. વડોદરાના યુનાઇટેડ વે સહિત 4 મોટા ગરબા આયોજકોએ GST લાગૂ કરી દીધું છે. જોકે ડેઇલી પાસ લઈને આવનાર પર GST લાગૂ નહીં પડે. સિઝન પાસ પર 18 ટકા જીએસટી લગાવાતા વડોદરાના જ 1 લાખથી વધુ ખેલૈયાઓએ ગરબા રમવા માટે દોઢ કરોડથી વધુ GST પેટે ચૂકવવા પડશે. જ્યારે રાજકોટના 50 હજારથી વધુ ખેલૈયાઓએ પણ એક કરોડથી વધુ જીએસટી ભરવો પડશે.

Related posts

ગુજરાતમાં પ્રવાસે આવેલા વિદેશ મંત્રીએ નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના વિપક્ષોના નિર્ણયને લઈને કહી આ વાત

Ahmedabad Samay

જાહેર જનતાના મદદ માટે ગુજરાતના તમામ જિલ્લાના S.P. ના મોબાઈલ નંબર જાહેર

Ahmedabad Samay

૩૧ ડિસેમ્બરની ન્યૂ યરની રાત્રી પાર્ટી ઉજવણી રદ્દ કરવાનો આદેશ પોલીસે આપ્યો

Ahmedabad Samay

અમરેલીના ગામોમાં ૨૪ કલાકમાં ભૂકંપના ૬ આંચકા! ગ્રામજનો ધ્રૂજી ઉઠ્‌યા

Ahmedabad Samay

તીક્ષ્ણ હથિયાર વડે ૧૯ ઘા મારી યુવકની કરાઇ હત્યા

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગરમાં એક યુવાનની જાહેરમાં કરાઇ હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો