March 26, 2026
ગુજરાત

નવરાત્રીના ગરબા ઉપર પણ GSTની કુદ્રષ્ટિ પડી, ગરબાના પાસ ઉપર ૧૮ % GST લાગુ

નવરાત્રિમાં ગરબાનાં સિઝન પાસ પર 18 % GST લાદવામાં આવ્યો છે. જેને લઈ ખેલૈયાઓમાં ભારે નારાજગી છે.  આ મામલે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને આવી છે. અને કોંગ્રેસનાં કાર્યકરોએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી વડોદરા કચેરી જઈ પટાંગણમાં સરકારી નીતિનો ગરબા ગાઈને વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા ગરબા પર 18 ટકા જીએસટીની જાહેરાત કરી છે. જેને લઈને ખેલૈયાઓમાં નારાજગી ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં દેશમાં સૌથી મોટું નવરાત્રીના પર્વ દરમિયાન ગરબાઓનું આયોજન કરવામાં આવે છે. ખેલૈયાનું કહેવું છે કે આ ચુનાવી સ્ટંટ છે. તો વળી અન્યનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય તઘલખી છે. હિંદુઓના ધાર્મિક તહેવારો પર ટેક્સ સાખી નહીં લેવાની વાત કરવામાં આવી હતી.

આ વખતે ગરબા રમવા મોંઘા પડશે. GST વધારાની અસર ખેલૈયાઓના ખિસ્સા પર પડવાની છે. જેના લીધી ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જોકે ડેઇલી પાસમાં GST ચુકવવો નહીં પડે. જોકે સિઝન પાસ પર 18 ટકા જીએસટી આપવું પડશે. વડોદરાના યુનાઇટેડ વે સહિત 4 મોટા ગરબા આયોજકોએ GST લાગૂ કરી દીધું છે. જોકે ડેઇલી પાસ લઈને આવનાર પર GST લાગૂ નહીં પડે. સિઝન પાસ પર 18 ટકા જીએસટી લગાવાતા વડોદરાના જ 1 લાખથી વધુ ખેલૈયાઓએ ગરબા રમવા માટે દોઢ કરોડથી વધુ GST પેટે ચૂકવવા પડશે. જ્યારે રાજકોટના 50 હજારથી વધુ ખેલૈયાઓએ પણ એક કરોડથી વધુ જીએસટી ભરવો પડશે.

Related posts

ગ્રીષ્મા હત્યા કેસમા કુલ ૭૬ સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે. હજી પણ ૧૦ સાક્ષીઓની જુબાની બાકી છે.

Ahmedabad Samay

પાટડી તાલુકાના સાવડા ગામના ખેડૂતના ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાવતા 60 મણ જીરા સહિત રૂ. 3.18 લાખનો મુદામાલ બળીને ખાખ થઇ ગયો હતો.

Ahmedabad Samay

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગિરી 2027 સુધીમાં થઈ શકે છે પૂર્ણ

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત જનભાગીદારી થકી સમગ્ર જિલ્લામાં 35,175 વૃક્ષો ઉછેરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો