બાપુનગરમા દિપુ સિંધીના આંતકથી લોકો બેહાલ થઇ ગયા છે, પોલીસને ફરિયાદ કરતા પણ આ લુખ્ખાતત્વ સામે કોઇ કાયદે સરની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે દિપુ સિંધી વધુ બેફામ બની ગયો છે.
https://youtube.com/shorts/AUuKSeUaTng?feature=share
ગત રોજ ગજાનંદચાલીમાં દિપુ સિંધી તથા તેના બજાણ્યા મિત્રો સાથે પુનમબેનના ઘર આગળ આવી બુમાબુમ કરતા હતા અને ગંદી ભિભસ્થ ગાળો બોલતા હોય જેથી પૂનમબેન બહાર આવી દિપુને પૂછ્યુ કેમ ગાળો બોલો છો તેમ કહેતા કોઇ કારણ વગર પુનમબેન સાથે બોલચાલી કરી તકરાર કરવા લાગેલા અને આ દિપૂ સિંધી સાથે આવેલ તેના બે મિત્રોને ઘરે લઈ આવી ઘરની બહાર લગાવેલ તથા અમારા પડોશમાં રહેતા કાશીબેન અને લતાબેના ઘરની બહાર લગાવેલ ટોરેન્ટ પાવરના મીટર તોડી નાખેલ અને ચાલી આવેલ દુકાનોના કાચ તોડી નાખ્યા હતા, બાઇક તોડફોડ કરી નુકશાન કર્યું અને આંતક મચાવ્યો હતો.
૧૦૦ નંબર ઉપર પોલીસ કન્ટ્રોલ રૂમમા ફોન કરી ગાડી બોલાવતા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા દિપુ અને તેના સાગરીતો ફરાર થઇ ગયા હતા. ગજાનંદચાલીમાં રહેતા રહેવાસીઓની સરકાર અને પોલીસથી આશા વ્યક્ત કરેછે કે તેમને દિપુ સિંધીના આંતક માથી મુક્તિ અપાવે અને યોગ્ય ન્યાય કરે.
