March 23, 2026
ગુજરાતઅપરાધતાજા સમાચાર

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની પ્રારંભિક તપાસમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો આવી સામે

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની પ્રારંભિક તપાસમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઓરેવાઍ બ્રિજનું જે રીતે કહેવાતું રિનોવેશન કર્યું તેના પર પણ અનેક સવાલ ખડા થયા છે. ઍક તરફ ઓરેવાના માલિક જયસુખ પટેલે આ બ્રિજના સમારકામમાં બે કરોડ રુપિયાનો ખર્ચો થયો હોવાનો દાવો કર્યો છે, તો બીજી તરફ તેના વર્ષો જૂના કેબલને માત્ર પોલિશ અને કલર કર્યા સિવાય બીજું કંઈ ખાસ કામ નહોતું કરાયું. અત્યારસુધીની તપાસમાં કટાયેલા કેબલ્સને બદલવામાં આવ્યા હોય તેવું કશુંય બહાર નથી આવ્યું.

આ બ્રિજને ડિસેમ્બર સુધીમાં તૈયાર કરી દેવા માટે કોન્ટ્રાક્ટરને સમય અપાયો હતો. જોકે, દિવાળી અને બેસતા વર્ષને ધ્યાનમાં રાખતા બ્રિજ વહેલો ખૂલ્લો મુકી દેવાયો હતો. બ્રિજ પડ્યો ત્યારે તેના પર ૪૦૦ જેટલા લોકો ઉપસ્થિત હતા, અને તેમાંથી મોટાભાગના દુર્ઘટના બની ત્યારે લીલ અને જળકુંભીથી છવાયેલી મચ્છુ નદીમાં પડ્યા હતા. બ્રિજમાં જે કંઈ કામ થયું તે માત્ર તેના ચાલવાના ભાગમાં જ થયું હોવાની શક્યતા છે. જોકે, તેમાં પણ જે મટિરિયલ વપરાયું હતું તેના કારણે બ્રિજનું વજન વધી જવાથી તેની લોકોનો ભાર વહન કરવાની ક્ષમતા ઘટી ગઈ હતી.

ઍક તરફ વજન વધતા બ્રિજના સ્ટ્રક્ચર પર સવાલ ઉભા થયા હતા તેવામાં મોટી સંખ્યામાં પણ લોકો ઉમટી પડતાં જોખમ ઓર વધી ગયું હતું. જેના કારણે તેના કેબલ તૂટી પડ્યા હતા અને આખરે ઍવી ગોઝારી દુર્ઘટના ઘટી હતી કે જેની કોઈઍ કલ્પના પણ નહોતી કરી. આ ઉપરાંત, ઈમરજન્સી રેસ્ક્યુ માટે પણ કોઈ સુવિધા ના હોવાથી મચ્છુમાં ખાબકેલા અનેક લોકોને બચાવી નહોતા શકાયા.

તપાસમાં ઍવું જાણવા મળ્યું છે કે આ બ્રિજનું ખરેખર કોઈ રિનોવેશન થયું જ નહોતું, અને જે કંઈ રિપેરિંગ કામ થયું હતું તે પણ કોઈ અનુભવી દ્વારા નહોતું કરાયું. તપાસ સાથે સંકળાયેલા ઍક અધિકારીઍ ઍમ પણ જણાવ્યું હતું કે બ્રિજનું કામ સ્થાનિક સબ-કોન્ટ્રાક્ટર દ્વારા કરાયું હતું અને તેમને આ કામનો કોઈ અનુભવ નહોતો. આમ કરવાની મંજૂરી કઈ રીતે અપાઈ તેની પણ તપાસ ચાલી રહી છે.

૨૦૦૮થી ઓરેવા આ બ્રિજ સાથે સંકળાયેલી છે. સૂત્રોનું માનીઍ તો, માર્ચ ૨૦૨૨માં ફરી ઓરેવાને બ્રિજનો સંપૂર્ણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ વખતે તેને કઈ રીતે કોન્ટ્રાક્ટ અપાયો તેમજ તેની કઈ શરતો અને નિયમોનો ભંગ કરાયો છે તેની પણ તપાસ કરાશે. રવિવારે મોરબીના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાઍ કહ્નાં હતું કે, તંત્રને જાણ કર્યા વિના જ બ્રિજ ખુલ્લો મુકી દેવાયો હતો. તેનું ફિટનેસ સર્ટિ લેવાયું હતું કે નહીં તેની પણ નગરપાલિકાને જાણ નથી.

પોલીસે આ મામલે નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ઓરેવાના બે મેનેજરનો પણ સમાવેશ થાય છે. જોકે, હજુ સુધી ઍ સ્પષ્ટ નથી થઈ શક્યું કે બ્રિજના કામકાજને લઈને કોઈ નિર્ણય લેવાની આ મેનેજરોને સત્તા હતી કે નહીં? બ્રિજ ખુલ્લો મુકાઈ ગયા બાદ પણ કોઈ કાર્યવાહી ના કરનારા નગરપાલિકાના અધિકારીઓની ભૂમિકા પણ ચકાસવામાં આવી રહી છે.
કેસની તપાસ જેમ-જેમ આગળ વધતી જશે તેમ ઓરેવા ઉપરાંત નગરપાલિકાના અધિકારીઓના નામ જ્ત્ય્માં ઉમેરાતા જશે તેમ પોલીસ સૂત્રોનું કહેવું છે. સૂત્રોનું માનીઍ તો, ઓરેવાઍ કરારની અનેક શરતોનો ભંગ કર્યો હતો. પોલીસે આ મામલે વધુ વિગતો મેળવવા નગરપાલિકાને કેટલાક પ્રશ્નો મોકલી તેના જવાબ પણ માગ્યા છે. ૧૩૫ લોકોના ભોગ લેનારો બ્રિજ કઈ રીતે તૂટ્યો અને તેની પાછળના કારણો શું હતા તેની વિગતવાર માહિતી મેળવવા પોલીસે સ્ટ્રક્ચરલ ઍન્જિનિયર્સ અને ઍક્સપર્ટ્સની પણ મદદ માગી છે.

Related posts

અમદાવાદ – શહેરી વિસ્તારના ધારાસભ્યોને એક ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

Ahmedabad Samay

ગુજરાતમાં પ્રવાસે આવેલા વિદેશ મંત્રીએ નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના વિપક્ષોના નિર્ણયને લઈને કહી આ વાત

Ahmedabad Samay

ડીસાના ધર્મેન્દ્ર ફોફાનીને મુંબઈમાં સ્ટાર જીવ સારથી કાનુન રત્ન એવોર્ડ મળ્યો

Ahmedabad Samay

ઓડિશામાં ત્રણ ટ્રેનોની ટક્કર: અત્યાર સુધીમાં 288 લોકોના મોત, વધી રહ્યો છે મૃત્યુઆંક

Ahmedabad Samay

રાજ્યમાં ૧૬ જેટલા પી.આઇ ની બદલી કરાઈ

Ahmedabad Samay

૧૨૦૦૦ ફૂટ ઉપર આવેલ તુંગનાથ સર્વોચ્ચ શિવ મંદિર પર્વતની ટોચ પર ટેટૂ બનાવવાનો ઈતિહાસ રચ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો