May 8, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

વડતાલના સ્વામી નૌતમે આપ્યું એવું નિવેદન કે ચૂંટણીમાં ભાજપ ઉપર થશે વોટનો વરસાદ, જાણો શું છે નિવેદન

વડતાલ સ્‍વામિનારાયણ મંદિરના નૌતમ સ્‍વામીએ આ વખતે હિન્‍દુઓને આંખ બંધ કરીને ભાજપ માટે વોટ આપવાની અપીલ કરી છે. આ અપીલનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં નૌતમ સ્‍વામી કહ્યું  કે, ભાજપના રાજના કારણે હિન્‍દુઓ આજે ગર્વથી મસ્‍તક ઊંચું રાખીને ફરી શકે છે. કાશી વિશ્વનાથનું મંદિર ૫૦૦ ફૂટમાં હતું. ૫ લાખ સ્‍ક્‍વેર ફૂટનું કરવાનું કામ વિક્રમાદિત્‍ય અને રાજા રણજિતસિંહ પછી કોઇએ કર્યું હોય તો તે માનનીય નરેન્‍દ્રભાઇએ કર્યુ છે. કેદારનાથનું ક્ષતિગ્રસ્‍ત થયેલું મંદિર એનો અબજો રુપિયાનો પ્‍લાન કોઇ હેરીડીટરીમાં જન્‍મેલો રાજા ન કરી શકે તેવું કામ નરેન્‍દ્રભાઇ મોદીએ કર્યું છે.                                                                                                                   સોમનાથનો વિકાસ હોય, અંબાજીનો વિકાસ હોય, ગીરનારનો વિકાસ હોય પાલિતાણાનો વિકાસ હોય, ડાકોરજીનો વિકાસ હોય કે શ્રી દ્વારિકાજીનો વિકાસ હોય શ્રી રામજન્‍મભૂમિ પરનું ભગવાન શ્રી રામનું મંદિર હોય, આ બધા પવિત્ર કામો નરેન્‍દ્રભાઇના હાથે થઇ રહ્યા છે. આવનારી શતાબ્‍દી એ હિન્‍દુઓની શતાબ્‍દી છે એટલે યાદ રાખીને જેટલા હિન્‍દુ હોય એમને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને આંખ મીચીને મત આપવો નાના મોટા સ્‍વાર્થ ભૂલીને અને રસ્‍તો બન્‍યો કે ન બન્‍યો એમાં પડ્‍યા વગર ભાજપને જ મત આપવા અપીલ કરૂ છું.

Related posts

આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્‍યના ઘણા ભાગોમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

Ahmedabad Samay

મોદીની સાથે લગભગ 40 મંત્રીઓએ શપથ લીધા,જાણો તમામ નવા મંત્રી વિશે, આ લોકો બન્યા નવા મંત્રી

Ahmedabad Samay

સુરતમાં ડાયમંડ બુર્સનું નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ૧૭મીએ લોકાર્પણ

Ahmedabad Samay

અંગદાનનો અમદાવાદથી પ્રારંભ, ગત વર્ષે 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું થયું દાન

Ahmedabad Samay

અમદાવાદમાં ચોમાસા પહેલા શિવરંજની ચાર રસ્તા પર મોટો ભૂવો, અત્યાર સુધી 19 ભૂવા પડી ગયા

Ahmedabad Samay

ફિલ્મ જગતમાં શોકનો માહોલ,ગાયિકા આશા ભોસલેનું ૯૨ વર્ષની વયે દુખદ નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો