અમદાવાદના શાહપુર વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે ૪.૩૦ વાગ્યે ન્યૂ એચ કોલોનીના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી.
જેમાં ઘરમાં રહેલા પતિ-પત્ની અને બાળકનું મોત થયું છે. ઘટનાને લઈ હાલ આ વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. શાહપુર વિસ્તારમાં આવેલા ન્યૂ એચ કોલોનીમાં આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જોકે વિગતો મુજબ એક જ પરિવારના ત્રણ લોકો એટલે કે, પતિ-પત્ની અને બાળક આગની ઘટનામાં જીવતા હોમાઈ જતાં ચકચાર મચી ગઈ છે.
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલા ન્યૂ એચ કોલોનીમાં આગ લાગી હોવાની માહિતી મળતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જય ફાયરની ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. જોકે હજી સુધી આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું.
