August 8, 2026
ગુજરાત

વડોદરા: વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં, બાકી વેરાના 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા કડક કાર્યવાહી

વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. બાકી વેરા વસૂલાતની ઝૂંબેશ હેઠળ સોમવારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોમર્શિયલ મિલકત માલિકોને બાકી વેરો ભરવા માટેની નોટિસ ફટકારી છે. સાથે જ કેટલીક રહેણાંક મિલકતોમાં પાણીના કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. માહિતી મુજબ,  રેવેન્યુ ઓફિસર કલ્પેશ શાહની હાજરીમાં કોર્પોરેશન દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે એક્શન મોડમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સોમવારે શહેરના અજવા રોડ સરદાર એસ્ટેટમાં કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા મિલકત વેરો ન ભરતા તેમના બાકી મિલકત વેરાની વસૂલાત માટે પાલિકાએ એકમો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત, કેટલાક રહેણાંક મિલકતો કે જેમના વેરા છેલ્લા ઘણા વર્ષોથી બાકી છે તેમના પાણીના કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી હતી.

કોર્પોરેશન દ્વારા કર્મચારીઓની અલગ-અલગ 19 ટીમ બનાવાઈ

માહિતી મુજબ, બાકી વેરાના 190 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા કર્મચારીઓની અલગ-અલગ 19 ટીમ બનાવાઈ છે. આ સાથે વેરા ન ભરનારા 48,200 રહેણાંક મિલકતોના પાણીના કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી છે. કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે, અગાઉ આ રહેણાંક મિલકતના માલિકોને 3-3 વખત નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં બાકીનો વેરો ન ભરતા પાણીના કનેક્શન કાપવાની ફરજ પડી છે. ઉપરાંત, કોમર્શિયલ મિલકતો કે જેમના વેરા બાકી છે તેમને સીલ કરવામાં આવી રહી છે. ત્યારે કોર્પોરેશનની આ પ્રકારની કામગીરી જોઈ વેરા ન ભરનારા લોકોમાં ફફડાટ જોવા મળી રહી છે.

Related posts

ભારતનો ભવ્ય વિજય ઈંગ્લેન્ડને 36 રનથી હરાવ્યું, 3-2થી જીતી સીરિઝ

Ahmedabad Samay

ચૂંટણી ટાણે રામોલ પોલીસે રૂ. ૧.૩૪ કરોડની રોકડ રકમ સાથે યુવકની ધરપકડ કરી

Ahmedabad Samay

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

Ahmedabad Samay

પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ ઉજવી

Ahmedabad Samay

દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ  ચૌહાણ અને તેજન્દ્રસિંહ જુંગીસિંહ ચૌહાણ દ્વારા ૨૫ બેડની સુવિધા કરાઇ

Ahmedabad Samay

સરકાર ૧૨ ધો. પરીક્ષા લેવાની ફિરાકમાં,જો ધો.૧૨ ની પરીક્ષા લેવાશે તો બાળકોમાં સંક્રમણ વધવાનો ખતરો રહેશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો