May 8, 2026
ગુજરાત

વડોદરા: વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં, બાકી વેરાના 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા કડક કાર્યવાહી

વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. બાકી વેરા વસૂલાતની ઝૂંબેશ હેઠળ સોમવારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોમર્શિયલ મિલકત માલિકોને બાકી વેરો ભરવા માટેની નોટિસ ફટકારી છે. સાથે જ કેટલીક રહેણાંક મિલકતોમાં પાણીના કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. માહિતી મુજબ,  રેવેન્યુ ઓફિસર કલ્પેશ શાહની હાજરીમાં કોર્પોરેશન દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે એક્શન મોડમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સોમવારે શહેરના અજવા રોડ સરદાર એસ્ટેટમાં કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા મિલકત વેરો ન ભરતા તેમના બાકી મિલકત વેરાની વસૂલાત માટે પાલિકાએ એકમો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત, કેટલાક રહેણાંક મિલકતો કે જેમના વેરા છેલ્લા ઘણા વર્ષોથી બાકી છે તેમના પાણીના કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી હતી.

કોર્પોરેશન દ્વારા કર્મચારીઓની અલગ-અલગ 19 ટીમ બનાવાઈ

માહિતી મુજબ, બાકી વેરાના 190 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા કર્મચારીઓની અલગ-અલગ 19 ટીમ બનાવાઈ છે. આ સાથે વેરા ન ભરનારા 48,200 રહેણાંક મિલકતોના પાણીના કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી છે. કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે, અગાઉ આ રહેણાંક મિલકતના માલિકોને 3-3 વખત નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં બાકીનો વેરો ન ભરતા પાણીના કનેક્શન કાપવાની ફરજ પડી છે. ઉપરાંત, કોમર્શિયલ મિલકતો કે જેમના વેરા બાકી છે તેમને સીલ કરવામાં આવી રહી છે. ત્યારે કોર્પોરેશનની આ પ્રકારની કામગીરી જોઈ વેરા ન ભરનારા લોકોમાં ફફડાટ જોવા મળી રહી છે.

Related posts

પેટ્રોલ-ડીઝલ બાદ હબે સી.એન.જી ના ભાવ વધારાની થઇ બ્રેક ફેલ

Ahmedabad Samay

અમદાવાદ: વરસાદ અંગે મહત્ત્વના સમાચાર, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી, 207 જળાશયમાં 70.87 ટકા જળસંગ્રહ

Ahmedabad Samay

સેવન્‍થ ડે સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા ૧૦માં ધોરણના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી દ્વારા તીક્ષ્ણ સાધન વડે હુમલો કરવામાં આવ્‍યો હતો. આ હુમલામાં વિદ્યાર્થી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગરની મુલાકાત લેશે

Ahmedabad Samay

હંદવારા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા સૈનિકો માટે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, શહિદો ને શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

ગાંધીનગરનું અક્ષરધામ, શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો