March 25, 2026
ગુજરાત

પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરાવી વળતર ચુકવવા ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાની માંગ

પોરબંદરમાં ખાસ કરીને બરડા વિસ્તાર અને રાણાવાવ તાલુકામાં કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થયેલ છે, જેની સહાય ઝપથી મળે તે જરૂરી –  અર્જુનભાઈ મોઢવાડિયા

ભાજપ સરકારે ખેડૂતો પાસેથી પાક વીમા ની સુવિધા ઝુંટવી લીધી છે, એટલે હવે વળતર ચૂકવવું એ સરકારની ફરજ – અર્જુનભાઈ મોઢવાડિયા

કમોસમી વરસાદથી ખેડૂતો અને ઘાસચારાને થયેલ નુકશાનનો મામલો વિધાનસભામાં પણ ઉઠાવી વળતર ઝડપથી મળે તે માટે પ્રયત્ન કરીશ –  અર્જુનભાઈ મોઢવાડિયા

પોરબંદર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા પડેલ કમોસમી વરસાદ અને કરા નાં કારણે ખેડૂતોના ઘાસચારા, ધાણા, જીરું,ઘઉં ના તૈયાર પાક અને ઉનાળુ પાકના વાવેતર અને બાગાયતી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે, ત્યારે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન મુદ્દે ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયા એ ઝડપથી સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી છે.  અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે પોરબંદર જિલ્લામાં ખાસ કરીને બરડા વિસ્તાર અને રાણાવાવ તાલુકામાં ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન થયેલ છે, તેમજ બાગાયત પાકો અને પશુઓ માટેના ઘાસચારાને પણ વ્યાપક નુકસાન થયેલ છે, ખેડૂતો પહેલાથી પોષણક્ષમ ભાવ ન મળવા સહિતની સમસ્યાઓથી પરેશાન છે, ત્યારે આ કમોસમી વરસાદે ખેડૂતો માટે પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ સર્જી છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે,  ત્યારે રાજ્ય સરકારે થોડો પણ વિલમ કર્યા વગર તાત્કાલિક ખેતરોમાં થયેલ નુકશાનનું સર્વે કરાવી ઝડપથી વળતર ચુકવવું જોઈએ.

અર્જુનભાઇ મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારે ખેડૂતો પાછેથી પાક વીમાની સુવિધા ઝુંટવી લીધી છે, બીજી જે રાહતો મળવા પાત્ર થાય છે તે પણ ચૂકવતી નથી, જેના કારણે ખેડૂતો પહેલેથી કફોડી સ્થિતિમાં છે, ત્યારે હવે સરકારની ફરજ બને છે કે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનનું પુરે પુરુ વળતર ચૂકવીને ખેડૂતોને રાહત આપે.  અર્જુનભાઇ મોઢવાડીયાએ ઉમેર્યું હતું કે જે વિસ્તારમાં પશુઓ માટેના ઘાસચારાને નુકસાન થયેલ છે, ત્યાં રાહત દરે ઘાસચારાના વિતરણની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જેથી પશુઓને બચાવી શકાય. સાથે જ  અર્જુનભાઇ મોઢવાડીયાએ આ મુદ્દે વિધાનસભામાં રજૂઆત કરી ખેડૂતોને ઝડપથી વળતર મળે તે માટે રજૂઆત કરવાની ખાતરી આપી છે.

Related posts

ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન અને મત ગણત્રી ૪ જૂને થશે

Ahmedabad Samay

જન સંધર્ષ વિરાટ પાર્ટી દ્વારા રેખા પાંડેની પસંદગી

Ahmedabad Samay

ક્રૂડના ભાવમાં ૩૨ ટકાનો ઘટાડો, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નહિ, સરકાર ઈચ્છેતો 18% ભાવ ઘટાડીનશકે

Ahmedabad Samay

મેઘાણીનગરના સાથ સહકાર સેવા ફોંઉન્ડેશન દ્વારા ધૈર્યરાજસિંહ માટે ફાળો એકત્રિત કરાયું

Ahmedabad Samay

અખિલ ભારતીય બંજારા મહિલા સેનામાં ગુજરાત રાજ્યના પ્રદેશ ઉપાઅધ્યક્ષ તરીકે કલ્પનાબેન ની નિયુક્તિ

Ahmedabad Samay

ચંદ્રની ધૂળના મોડેલ પર આધારીત ચંદ્રની ધૂળ અને જમીનના મિશ્રણમાં ચણાનો લણી શકાય તેવો પાક ઉગાડવામાં સફળતા મેળવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો