May 13, 2026
Other

રામનવમી ની યાત્રા પર થયેલા પથ્‍થર મારામાં વડોદરા શહેર છોડીને ભાગી ગયેલા ઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે:હર્ષ સંધવી

રામનવમી પર વડોદરા શહેરમાં રામનવમી ની યાત્રા પર થયેલા પથ્‍થર મારામાં વડોદરા શહેર છોડીને ભાગી ગયેલા ઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્‍પષ્ટ ચીમકી રાજ્‍ય ગળહ મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્‍ચારી હતી.

વડોદરા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્‍ય ગળહ મંત્રીએ જણાવ્‍યું હતું કે ગુજરાતમાં કોઈપણ ધર્મના ઉત્‍સવો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાની જરૂર છે કોઈની અફવાથી ગેરમાર્ગે દોરાવવું જોઈએ નહીં તાજેતરમાં વડોદરા શહેરમાં રામ નવમીની યાત્રા પર જે રીતે પથ્‍થર મારો થયો હતો અને જે પથ્‍થર મારો કરનારા તત્‍વો હતા તેઓની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી તે દિવસના સીસીટીવી ફૂટેજ હોય કે કેમેરામાંથી મળેલી ફૂટેજ હોય તેના આધારે તમામ તોફાની તત્‍વો ને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે તહેવારોની ઉજવણી થાય તે માટે રાજ્‍ય સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે.તેમણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે હેડ સ્‍પીચ આપનારા વ્‍યક્‍તિઓ હોય જેને કારણે તોફાનોની શકયતાઓ રહેલી છે તેવા સામે પણ ગુજરાત સરકાર કડક કાર્યવાહી કરી રહી છે આવા વ્‍યક્‍તિઓ સામે પણ કોઈની શેહ શરમમાં આવ્‍યા વિના કાર્યવાહી કરવામાં આવી છે.

Related posts

જ્યારે અમદાવાદ 40.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

Ahmedabad Samay

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ માં હિન્દીભાષી/ઉત્તર ભારતીય સમાજ ની લાગણી દુભાઈ ..હિન્દી ભાષી સમાજ ઈગ્નોર કરાયું,UBVP એ વિરોધ કર્યો

Ahmedabad Samay

વિચારવા જેવી વાત ઇલેક્શન સંપૂર્ણ થતાંજ કોરોનામાં વધારો, નવા ૦૩ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

Ahmedabad Samay

જ્ઞાનવાપી સ્‍થિત વ્‍યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધના મામલામાં મુસ્‍લિમ પક્ષની અરજીને ફગાવી દીધી

Ahmedabad Samay

સુરત ખાતે યોજાયેલ ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં અમદાવાદ જિલ્લા ના ચેમ્પયનસ કરાટે એકેડેમીના વિદ્યાર્થીઓએ મારી બાજી

Ahmedabad Samay

ગુજરાતની રાજનીતિમાં કાલે સૌથી મોટો દિવસ, ક્ષત્રિયાણીઓ આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો