August 8, 2026
અપરાધ

અમદાવાદ: નરોડામાં 17 વર્ષીય સગીરાએ આપઘાત કર્યો! પોલીસને જણાવ્યા વિના જ પરિવાર અંતિમ વિધિ માટે સ્મશાન પહોંચ્યો, ઊભા થયા અનેક સવાલ

નરોડા વિસ્તારમાં એક 17 વર્ષીય માસૂમ સગારીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જો કે, પોલીસને જાણ કર્યા વિના જ પરિવાર સગારીના અંતિમ સંસ્કાર કરવા માટે નરોડા સ્મશાન ગૃહ ખાતે પહોંચ્યો હતો. સ્મશાન ગૃહના સંચાલકને શંકા જતા પોલીસને જાણ કરી હતી. આથી પોલીસની ટીમ ત્વરિત સ્મશાન ગૃહ પહોંચી હતી અને અંતિમ સંસ્કારની વિધિ અટકાવી સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

મળતી માહિતી મુજબ, શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક 17 વર્ષીય સગીરાએ બપોરના સમયે ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જો કે, સગીરાનો પરિવાર પોલીસને જાણ કર્યા વિના જ સગીરાના મૃતદેહ લઇ નરોડા સ્મશાન ગૃહ અગ્નિસંસ્કાર માટે પહોંચ્યો હતો. પરંતુ, સ્મશાન ગૃહમાં કામ કરતાં યુવકે સગીરાના ગળા પર ઇજાના નિશાન જોતા તેને શંકા ગઇ હતી અને તેણે પોલીસને જાણ કરી હતી. આથી પોલીસની ટીમ ત્વરિત સ્મશાન ગૃહ પહોંચી હતી અને અંતિમ વિધિની પ્રક્રિયા અટકાવી સગીરના  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

પોલીસે હકીકત જાણવા તપાસ હાથ ધરી

પરિજનોથી આ અંગે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, કેટલાક દિવસથી સગીરા અભ્યાસને લઇને તણાવમાં હતી, જેથી તેણે આ પગલું ભર્યું હોઇ શકે. જો કે, તેઓ પોસ્ટમોટ્મ કરાવવા માંગતા ન હોવાથી પોલીસને આ અંગે જાણ કરી નહોતી. પોલીસે આ મામલે હવે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા અને શા માટે પોલીસને જાણ કર્યા વગર પરિવારજનો મૃતક સગીરાનું અગ્નિસંસ્કાર કરવા સ્મશાને પહોંચી ગયા? તે દીશામાં તપાસ હાથ ધરી છે.

Related posts

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

સરકારી આદેશનો નરોડા વિસ્તારમાં લીલાલેર ઉડ્યા

Ahmedabad Samay

મણિપુરમાં બનેલ ઘટનાની તમામ માહિતી,એક આરોપીની થઇ ધરપકડ,PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Ahmedabad Samay

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં બની ચોરી અને છેતરપીંડીની ઘટના.

Ahmedabad Samay

પંચવટી પાંચ રસ્તા પાસે એક AMTS બસચાલકે કારને મારી ટક્કર, કાર ચાલકનો સદનસીબે આબાદ બચાવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો