March 23, 2026
દેશઅપરાધરાજકારણ

પ.બંગાળમાં TMC ની જીતબાદ હિંસક ઘટનાઓ બની, કપડાંની દુકાનમાં લૂંટ,ભાજપ કાર્યકર્તાઓ પર હુમલો,૯ ની હત્યા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની જીત બાદ રાજયમાં થઈ રહેલી હિંસક ઘટનાઓને લઈને ભાજપે મોટી જાહેરાત કરી છે. ભાજપે પાંચ મેએ દેશવ્યાપી ધરણાના કાર્યક્રમનું એલાન કર્યુ છે. મહત્વનું છે કે ભાજપનો આરોપ છે કે રાજયમાં ટીએમસીના કાર્યકર્તા અને તેના તેમની પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલા કરી રહ્યાં છે, જેમાં અનેક લોકોના મોત થયા છે.

આ સિવાય ગઇ કાલે પણ રાજયમાં મોટા પાયે હિંસા જોવા મળી, જેમાં કથિત રીતે ઘર્ષણ અને દુકાનો લૂંટવા દરમિયાન ભાજપના કાર્યકર્તાઓના મોત થયા છે. બંગાળમાં ચૂંટણી પરિણામ જાહેર થયાના ૨૪ કલાકમાં ભાજપના ૯ કાર્યકર્તાઓની હત્યા કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજય સરકાર પાસે વિપક્ષી કાર્યકર્તાઓ પર હુમલાની દ્યટનાનો તથ્યાત્મક રિપોર્ટ માંગ્યો છે. ભાજપે એક પાર્ટી ઓફિસમાં આગનો વીડિયો શેર કર્યો છે, જેમાં આગ લાગતી જોવા મળી રહી છે. જયાં પરેશાન લોકો રાડો પાડતા ભાગતા જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર મૃત વ્યકિતઓની તસવીર અને એક દુકાનમાંથી કપડા લૂંટી ભાગતા લોકોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ભાજપનો દાવો છે કે તેના આશરે છ કાર્યકર્તા અને સમર્થકોના મોત થયા છે, જેમાં એક મહિલા પણ સામેલ છે. ભાજપ તેનો આરોપ ટીએમસી પર લગાવી રહી છે. ભાજપે પત્રકારો સાથે એક વીડિયો શેર કર્યો જેમાં નંદીગ્રામમાં પાર્ટી ઓફિસમાં થયેલી તોડફોડને દેખાડવામાં આવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આ સીટ પર સુવેંદુ અધિકારી સામે ચૂંટણી હારી ગયા હતા. રાજયપાલ જગદીપ ધનખડે પ્રદેસના ગૃહ સચિવ, રાજયના પોલીસ વડા અને કોલકત્ત્।ના પોલીસ કમિશનરને બોલાવી રાજયમાં શાંતિ સ્થાપવા માટે કહ્યુ છે.

રાજયમાં હિંસાની ઘટના બાદ મૃત્યુ પામેલા ભાજપના કાર્યકર્તાના પરિવારજનોની મુલાકાત માટે ભાજપ અધ્યક્ષ ૪ અને ૫ મેએ બંગાળના પ્રવાસે જઈ રહ્યા છે. ભાજપે ટ્વીટ કરી કહ્યું- ચૂંટણી પરિણામ આવ્યા બાદ ટીએમસી કેડર દ્વારા કરવામાં આવેલી ભારે હિંસા દરમિયાન માર્યા ગયેલા અને ઈજાગ્રસ્ત થયેલા કાર્યકર્તાઓને મળવા માટે જેપી નડ્ડા ૪-૫ મેએ રાજયનો પ્રવાસ કરશે.

Related posts

ઉત્તરાખંડના નૈનિતાલમાં ૧૨ વર્ષની બાળકી સાથે ૭૬ વર્ષીય વિધર્મી ઉસ્‍માનએ આચર્યું દુષ્કર્મ, નૈનિતાલમાં તણાવનો માહોલ

Ahmedabad Samay

બાલિકા વધુની દાદીસા સુરેખા સીકરીનું હાર્ટ એટેકથી મોત

Ahmedabad Samay

લોકસભા ચૂંટણી પહેલા TMCને ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ છોડ્યા બાદ તાપસ રોય બુધવારે ભાજપમાં જોડાયા

Ahmedabad Samay

નરોડા પાટિયા કાંડના આરોપી ની હત્યા કરનારની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

દૂરદર્શન ન્‍યૂઝ ના પ્રખ્યાત મહિલા એન્‍કર સરલા મહેશ્વરીનું દિલ્‍હી ખાતે અવસાન

Ahmedabad Samay

ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલાકારોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો