March 13, 2026
ગુજરાત

અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે

અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. ત્યારે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે ઘાટલોડીયા વિસ્તારના ચાણક્યપુરીમાં લોકદરબાર યોજાશે. જેમાં અત્યારે મંડપ બાંધવામાં આવી રહ્યો છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જર્મન ટેક્નોલોજીથી મંડપ બનાવવામાં આવશે.

અમદાવાદમાં  ચાણક્યપુરીના એક મેદાનમાં મંડપ સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો બેસી શકે તે માટે વિશાળ મંડપ બાંધવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જર્મન ટેકનોલોજીનો મંડલ બાંધવામાં આવી રહ્યો છે.

બાબા બાગેશ્વરના દરબારમાં 1 લાખ લોકોની કેપેસિટી ધરાવતો મંડપ બાંધવામાં આવી રહ્યો છે. અત્યારથી જ સ્વયંસેવકો દ્વારા આ તૈયારીઓ તેજ કરાઈ છે. અંદાજે 2 હજાર જેટલા સ્વયંસેવકો સેવા આપશે.
 
ચાર ફૂટ ઊંચું અને ત્રણ ફૂટ પહોળું ભવ્ય સિંહાસન તૈયાર કરાશે 
બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં વીવીઆઈપી અને નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે.  બાબા બાગેશ્વરનું ચાર ફૂટ ઊંચું અને ત્રણ ફૂટ પહોળું ભવ્ય સિંહાસન તૈયાર થઈ રહ્યું છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસની હાજરીની સાથે 500 બાઉન્સર પણ એલર્ટ પર રહેશે. એટલું જ નહીં, કાર્યક્રમ દરમિયાન કોઈ ખલેલ ન પડે તે માટે VIP મહેમાનોને અલગથી પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદ સિવાય ગુજરાતમાં અન્ય શહેરોમાં થઈ રહેલા કાર્યક્રમમાં પણ તૈયારીઓ મંડપ સહીતના આ રીતે જ કરવામાં આવશે.

Related posts

મ્યુનિ.કમિશનરની મંજુરી વગર ફર્નિચરને લગતી કોઇપણ આઇટમ કોઇપણ ખાતાએ ખરીદવાની રહેશે નહીં.

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ ખાતે હોર્સ રાઇડિંગ ક્લબનું ઉદ્ઘાટન કરાયુ

Ahmedabad Samay

જસદણ ખાતે આયોજિત એક સભામાં પુરષોતમ રૂપાલાએ ફરી માફી માંગી

Ahmedabad Samay

દેશના૧૩ રાજ્ય પૂરતું જ રહેશે લોકડાઉન ૫.૦

Ahmedabad Samay

સુરત – H3N2ના કેસોમાં વધારો, બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો

Ahmedabad Samay

ભૂપેન્દ્રભાઈ પટેલે નવમા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર-૨૦૨૪નું ઉદઘાટન કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો