March 21, 2025
ગુજરાત

હેલ્થ વિભાગ દ્વારા 299 યુનિટ માંથી 176 યુનિટ માં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું

“ચોમાસામાં મચ્છરજન્ય રોગોમાં વધારો ના થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા મચ્છર જન્ય રોગો અટકાવવા માટે મચ્છરોનું બ્રિડિંગ ના થાય તે અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

હેલ્થ વિભાગ દ્વારા 299 યુનિટ ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 176 યુનિટ માં મચ્છરોનું બ્રિડિંગ મળી આપતા નોટિસ આપવામાં આવી હતી. તેમજ વધુ બ્રિડિંગ મળી આવ્યું હોય તેવી 65 એકમો ને 5.96 લાખ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

ચોમાસામાં વરસાદનું પાણી ભરાઇ રહેવાના કારણે મચ્છરોનું બ્રિડિંગ થાય છે અને જેને કારણે મસાજ અને રોગો ફેલાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે કમર્શિયલ એકમો ચેક કરતા નીચે મુજબની જગ્યાઓ પરથી બ્રિડિંગ મળી આવી હતી.

ટેરેસ પર રાખેલ ભંગારમાંથી, ફૂલછોડના કુંડામાંથી, ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ ટાંકી માંથી, ફ્રીજ ની ટ્રે માંથી, કુલર માંથી ,લિફ્ટના ખાડામાંથી, ખુલ્લી ટાંકીમાંથી , સ્ક્રેપ મટીરીયલ્સ માંથી તેમજ ભોયરામાં વગેરે જગ્યાએથી મચ્છરોના વધુ પ્રમાણમાં બ્રિડિંગ મળી આવ્યા હતા. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે ચોમાસામાં આસપાસની જગ્યાઓ જેમ પાણી ભરાઇ રહે તેવો હોય તેને સ્વચ્છ રાખવી જોઈએ”

Related posts

અમદાવાદમાં પરત ફરતી વખતે ૭૨ નો RT-PCR ટેસ્ટ જરૂરી

Ahmedabad Samay

ગુજરાત બોર્ડની એસએસસી પરીક્ષાનું એડમિટ કાર્ડ કરાયું જારી, આ રીતે કરી શકાય છે ડાઉનલોડ

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને માનવતાની જરૂર પડી છે, આવો બચાવીએ એક માસુમ જિંદગીને: અમદાવાદ સમય સમાચારપત્ર

Ahmedabad Samay

ટૂંક સમયમાં રિવરફ્રન્ટ ખાતે દુબઈનાં પ્રખ્‍યાત મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન જેવો મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન બનાવવામાં આવશે

Ahmedabad Samay

રાજ્યભરમાં આગામી પાંચ દિવસમાં ત્રણ ડિગ્રી સુધી ગરમીનો પારો વધી શકે છે

Ahmedabad Samay

કિશન ભરવાડ હત્યા કેસમાં હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો