June 22, 2026
ગુજરાત

અમદાવાદમાં અષાઢી બીજના રોજ ક્રૂઝ થશે શરુ, સાબરમતી નદીની વચ્ચે બેસીને માણી શકાશે ભોજનની મજા

10 કરોડના ખર્ચે અષાઢી બીજના દિવસે ક્રૂઝની શરુઆત અમદાવાદ સાબરમી નદીમાં થવા જઈ રહી છે.  અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા ક્રૂઝ રેસ્ટોરન્ટ શરુ કરવામાં આવી રહી છે. જેની લોકો રાહ જોઈ રહ્યા છે કેમ કે, સાબરમતી નદીમાં નદીની વચ્ચે બેસીને સાંજની શીતળતામાં લોકો ભોજન ક્રૂઝમાં બેસીને કરી શકશે. આ મજા બહું જલદી જ માણવા મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર અષાઢી બીજે આ ક્રુઝ  લોકો માટે શરુ કરવામાં આવશે. નદીની સફરની સાથે સાથે લોકો ફૂડની મજા માણી શકે તે માટે પ્રથમ વખત આ પ્રકારે ક્રૂઝ શરુ થઈ રહી છે. આ ક્રૂઝ સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી કાર્યરત રહેશે. આ રુટ સુધી લોકોને સફર કરવા મળશે.

આ ક્રૂઝની ખાસ પ્રકારની વિશેષતાઓ રહેશે જેમાં બર્થ ડેથી લઈને મટિંગ રુમમાં બેસીને ઓફિસની ચર્ચા કરી શકાય તે પ્રકારે વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેથી મોટી સંખ્યામાં આ ક્રૂઝમાં લોકો આવે તેવી શક્યતા છે. પ્રથમ વખત આ પ્રકારે અમદાવાદમાં ક્રૂઝમાં બેસીને ખાવાનો આનંદ લોકો માણી શકશે.

આ ક્રૂઝની વિશેષતા
5 સ્ટાર હોટલ જેવી હશે સુવિધા
પહેલા માળે એસી કેબિન હશે
પ્રથમ માળે ઓપન ક્રૂઝમાં બેસીને ખાણીપીણીની લિજ્જત માણી શકાશે
ક્રૂઝમાં 150 લોકોની બેસવાની છે કેપેસિટી
ખાણી પીણી સાથે લાઈવ શો અને મ્યુઝિક પાર્ટી માણી શકાશે
અમદાવાદીઓ બર્થ ડે પાર્ટી પણ મનાવી શકે તેવી વ્યવસ્થા
ક્રૂઝમાં ઓફિસ મિટીંગ શક્ય બનશે.
બે માળની ક્રૂઝ હશે
10 કરોડના ખર્ચે શરુ થશે ક્રૂઝ

સાબરમી નદીની શોભામાં ક્રૂઝના કારણે થશે વધારો
ખાણી-પીણી અને હરવા ફરવાના શોખિન ગુજરાતીઓ માટે આ એક લ્હાવો છે જેની શરુઆત અમદાવાદમાં થઈ રહી છે. સાબરમતી નદીની શોભા અત્યારે રીવરફ્રન્ટ છે ત્યારે આગામી સમયમાં સાબરમતી નદીની નવી ઓળખ આ ક્રૂઝથી બનશે. જ્યાં લોકો માટે આ સુવિધા શરુ કરવામાં આવશે.

Related posts

શિક્ષણના સમર્થ શ્રી મહેશસિંહ કિરીટસિંહ ગોહિલની ઉમદા અને પ્રેરણાદાયી પહેલ

Ahmedabad Samay

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજથી નવું પોર્ટલ કાર્યરત કરાશે

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન -પૂજન કર્યા.

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહી

Ahmedabad Samay

અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનનો કેસ થયો દાખલ, રાજ્યમાં કુલ ૧૦ કેસ થયા ઓમીક્રોનના

Ahmedabad Samay

અમદાવાદ- પ્રવાસી શિક્ષકોની ભરતી વિના આજથી સ્કૂલો શરુ, એક શિક્ષકને બે ક્લાસ લેવાની ફરજ પડી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો