June 10, 2026
ગુજરાત

ગાંધીનગર – શિક્ષણ મંત્રીએ ધોરણ 10ના પરીણામ બાદ વિદ્યાર્થીઓને આપી શુભકામનાઓ

આજે ધોરણ 10નું પરીણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે આ પરીણામ બાદ શિક્ષણ મંત્રી કુંબેર ડીંડોરે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી. આજે ગુરુવારે જાહેર કરાયેલું ધોરણ 10નું 64.62 ટકા પરીણામ આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓને સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શુક્ષેચ્છાઓ આપી હતી.

કુબેર ડીંડોરે કહ્યું કે, ધોરણ 10 (SSC) બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થીઓને સફળ કારકિર્દીની શુભેચ્છાઓ. ભવિષ્યમાં આપ સૌ યુવાઓ ખંતપૂર્વક અને મહેનતથી યશ-કીર્તિ પ્રાપ્ત કરો તેવી અંતઃકરણપૂર્વક શુભકામનાઓ. આ સાથે તેમને નાપાસ થયેલા વિદ્યાર્થીઓને હિંમત ના હારીને ફરી પરીક્ષા આપી જીવનમાં આગળ વધવાની શુભકામનાઓ આપી હતી.

સીએમએ આપ્યો આ સંદેશો 
સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પરીણામ જાહેર થયા બાદ શુભકામના આપતા કહ્યું કે, તમામ વિદ્યાર્થીઓને અભિનંદ અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામાનાઓ.

વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી ખુશી
આજે વહેલી સવારે જ પરીણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓ સવારે 8 વાગે ઓનલાઈન પરીણામ જોવા માટે તલપાપડ જોવા મળ્યા હતા. પરીણામ જાહેર થતાની સાથે જ પાસ તેમજ ટોપર્સ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. ક્યાંક મીઠાઈઓ વાલીઓ ખવડાવતા જોવા મળ્યા હતા તો ક્યાંક ઢોલ નગારાના તાલે ઝૂમતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા. જો કે, આ વખતે ધોરણ 10નું વર્ષ 2023નું 64.62 ટકા પરીણામ આવ્યું હતું. વર્ષ 2022માં 65.18 ટકા પરીણામ આવ્યું હતું.

Related posts

મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો

Ahmedabad Samay

કોર્પોરેશનની સ્કૂલના વિદ્યાર્થીઓએ હેલિકોપ્ટરમાં બેસીને હેરીટેજ સિટી અમદાવાદનો નજારો માણ્યો

Ahmedabad Samay

દેશમાં સૌ પ્રથમ સી-પ્લેનનુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે લોકાર્પણ. કેવડિયા થી અમદાવાદની સી-પ્લેનની મુસાફરી કરી

Ahmedabad Samay

અમદાવાદ: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, એપ્રિલ-મેમાં ગરમીનો પારો આટલા ડિગ્રીએ પહોંચશે!

admin

અમદાવાદમાં 2 કિલો ડ્રગ્સ યુપીથી મોકલવામાં આવ્યું હતું, એસઓજી યુપી જઈ આરોપીને પકડશે

Ahmedabad Samay

કોરોનાના સારા સમાચાર ૩૫૦થી વધુ બેડ ખાલી, કોરોના થોડો ધીમો પડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો