June 24, 2026
ગુજરાત

વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

અમરેલી-સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદન અને ભારે પવન ફૂંકાવાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. તંત્રએ દરિયાઇ વિસ્તારોને લઇ માછીમારોને સતર્ક રહેવા માટે ફાયર વિભાગ દ્વારા એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા જાફરાબાદના માછીમારોને દરિયામાંથી પરત બંદર પર બોલાવામાં પણ આવ્યા છે. જેમા 700 જેટલી બોટ સાથે માછીમારો આગમચેતીના ભાગ રૂપે જાફરાબાદ પહોંચ્યા છે. આવતા દિવસોમાં માછીમારોની દરિયો ખેડવાની સિઝન પૂર્ણ થાય તે પહેલા અગાવ માછીમારોને તંત્ર દ્વારા સૂચનાઓ આપીને વતન પરત બોલાવામાં આવ્યા છે.

શું છે હવામાન વિભાગની આગાહી?
વરસાદ અને ભારે પવન ફૂકાવાને લઇને હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શકયતાઓ સેવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા અને સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તો આ સાથે સૌરાષ્ટ્રમાં જેમ કે, ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. અમદાવાદના દક્ષિણ વિસ્તારમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં ડિપ્રેસન ડીપ ડિપ્રેશન બનતા માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

Related posts

વિરમગામ – હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા પેરીડોમેસ્ટિક કામગિરી ઉપરાંત પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ

Ahmedabad Samay

કાલુપુર સર્કલ ખાતે પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

કોરોના થયો તો પણ નેતાજી ન સુધર્યા, ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ જાહેરમાં ઉજ્જવી ત્રીજી એનિવર્સરીની

Ahmedabad Samay

રાજપૂત સમાજ ની દીકરીબાઓ એ તલવારરાસ મા ફસ્ટ રેન્ક મેળવ્યો

Ahmedabad Samay

બાપુનગરમાં હોમગાર્ડ જવાનો માટે યોજાયેલા બેલેટ પેપર મતદાનમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો