June 22, 2026
ગુજરાત

અમદાવાદ: મીઠાખળીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, મનપાની ઉતારવાની કામગીરી વખતે અચાનક પડ્યું, બે મજૂર દટાયા

અમદાવાદના મીઠાખળી ગામમાં આવેલી એક પોળમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં બે મજૂરોને ઇજાઓ થઈ છે. મનપા દ્વારા જર્જરિત મકાન તોડવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે અકાએક મકાન ધરાશાયી થયું હતું, જેમાં બે મજૂર દટાયા હતા. બંને મજૂરોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.

મંગળવારે સવારે મનપા દ્વારા મીઠાખળી ગામમાં 80 વર્ષ જૂનું એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. ત્યારે અચાનક મકાનની છત ધરાશાયી થતા આખું મકાન પડ્યું હતું. આ દુર્ઘટનામાં બે મજૂર કાટમાળમાં દટાયા હતા. જો કે, તેમણે ત્વરિત બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ મામલે હાલ મનપાની ટીમ દ્વારા કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે.

અગાઉ ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મીઠાખળી ગામમાં એક ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 2 વર્ષની બાળકી સહિત આખો પરિવાર દટાયો હતો. જો કે, ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સતત 30 મિનિટની શોધખોળ બાદ પરિવારના તમામ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ, આ દુર્ઘટનામાં પરિવારના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

Related posts

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ બગડી, બે નેશનલ હાઈવે બંધ, ગ્રામ્ય વિસ્તારના 303 રસ્તાઓ બંધ

Ahmedabad Samay

કડી વિધાનસભા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

Ahmedabad Samay

અમદાવાદમાં લોકસભા ચુંટણી પહેલા પોલીસે પરવાના વાળા હથિયાર જમા કરી પેરામિલિટરી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું

Ahmedabad Samay

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અમદાવાદ શહેરના પ્રમુખશ્રી સત્ય સુજલ મિશ્રા (સત્યેન્દ્રભાઈ)નું થયું દુઃખદ અવસાન

Ahmedabad Samay

BJP અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો