June 22, 2026
ગુજરાત

સુરત – અકસ્માતના કારણે યુવકનો ગયો જીવ, રોજદારી માટે વતન છોડી શહેર આવ્યો હતો

એક પછી એક બનતા અકસ્માતના બનાવો લોકો માટે કાળ બની રહ્યા છે. સુરતમાં એક યુવકનો ટ્રક સાથે અકસ્માત થતા તેનું પ્રાણ પંખેરું વિખાઈ ગયું હતું. આ અકસ્માતમાં હેવી ટ્રક તેના પર ફરી વળ્યો હોવાના ટાયરના નિશાન પણ લાગેલા હતા.

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં કવાસ પાટીયા પાસે આ ઘટના બની હતી. જેમાં ટ્રક ચાલકે યુવકને અડફેટે લેતા યુવક મોત ભેટ્યો હતો. જો કે, લોકોએ તત્કાલ 108ને બોલાવી હતી મેડિકલ ટીમે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે બચી શક્યો નહતો. યુવકના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરીવારથી દૂર રોજગારી માટે આવેલા યુવકને ન પડવી જોઈએ તેવી મોટી ખોટ યુવકના મોતથી થઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બિહારથી નરેશ નામનો યુવક રોજગારી માટે આવ્યો હતો. તે એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર તરીકે તાજેતરમાં જ લાગ્યો હતો. તેવામાં થોડા દિવસ બાદ તેની સાથે આ ઘટના ઘટતા તે ટ્રકની અડફેટે આવતા મોત ભેટ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે લવાયો છે. પોસ્ટ મોર્ટમ બાદ તેના મૃતદેહને તેના વતન મોકલવામાં આવશે.

રાજ્યમાં બનતી અકસ્માતની ઘટનાઓ ખૂબ ચિંતાજનક છે. ત્યારે સુરતમાં પણ અકસ્માતમાં યુવકે તેનો જીવ ગુમાવ્યો હતો.

Related posts

રબારી સમાજનો પ્રેરણા અને આવકારદાયક નિર્ણય લેવાયો લગ્નમાં ૧૫ તોલા સોનુ આપવાની પ્રથા બંધ

Ahmedabad Samay

સિવિલ હોસ્પિટલનો ગેટ નં:૦૬ બંધ રહેતા ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે

Ahmedabad Samay

સોમનાથ મંદિરની પાસે દરીયા કિનારે વીડિયો બનાવનાર મુસ્લીમ શખ્સ હરિયાણાના પાનીપતનો રહેવાસી

Ahmedabad Samay

મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

Ahmedabad Samay

કોનવેલ્થ ગેમ્સની યજમાની મળતા અમદાવાદમાં બનશે 12 જેટલા નવા બ્રિજ,1 વર્ષમાં 8 બ્રિજ થઇ જશે તૈયાર

Ahmedabad Samay

ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની તથા ઘરમાં ૨ ફુટની મૂર્તિઓની સ્થાપના કરી શકાશે. ગણેશ મહોત્સવની મહત્વની બાબતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો