February 5, 2026
Other

શું કમલનાથ ભાજપમાં જોડાશે ?

મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી ડો.મોહન યાદવ અને પૂર્વ મુખ્‍યમંત્રી કમલનાથ ફરી એકવાર મળ્‍યા હતા. અચાનક મળેલી બેઠક પરથી અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. પૂર્વ મુખ્‍યમંત્રી કમલનાથે મુખ્‍યમંત્રી ડો.મોહન યાદવને મળ્‍યા અને સાંજે છિંદવાડા કલેક્‍ટરને હટાવ્‍યા. કલેકટરની અચાનક બદલીને પણ આ બેઠક સાથે જોડવામાં આવી રહી છે.

છેલ્લા એક મહિનામાં કમલનાથ ત્રણથી વધુ વખત મુખ્‍યમંત્રી મોહન યાદવને મળ્‍યા છે. એક વખત મુખ્‍યમંત્રી પોતે કમલનાથને તેમના બંગલે મળવા ગયા હતા. મુખ્‍યમંત્રી ડો.મોહન યાદવને મળ્‍યા બાદ પૂર્વ સીએમ કમલનાથે કહ્યું કે તેઓ છિંદવાડા વિશે વાત કરવા આવ્‍યા હતા.

આ સાથે જ કોંગ્રેસમાં હલચલ વધી ગઈ છે. ભાજપના નેતાઓ સાથે કમલનાથની મુલાકાત બાદ રાજકારણ ગરમાયું હતું.

રાજ્‍યસભાના સભ્‍ય વરિષ્ઠ વકીલ વિવેક તંખાએ કહ્યું કે એવું માની શકાય નહીં કે કમલનાથ-નકુલનાથ કયાંય જઈ રહ્યા છે.કમલ નાથનો કોંગ્રેસ સાથે ઊંડો સંબંધ છે. પરિવર્તનનો સમય છે તેથી કશું કહી શકાય તેમ નથી. તેમણે એમ પણ કહ્યું કે મારા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે હું કોંગ્રેસમાં જઈ રહ્યો છું. હવે ચર્ચા એ છે કે આ બેઠક વારંવાર કેમ થઈ રહી છે.

Related posts

Skin Care Tips: વરસાદની ઋતુમાં આ રીતે તમારી તૈલી અને ચીકણી ત્વચાની સંભાળ રાખો

Ahmedabad Samay

ગુજરાતની જાણીતા લોકગાયિકા રાજલ બારોટની થઇ સગાઈ

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

શ્રી પૂજ્ય તનસિંહજી જન્મ શતાબ્દિ વર્ષ અને શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના ૭૮ માં સ્થાપના દિન ઉજવણી અંગે બેઠક યોજાઇ

Ahmedabad Samay

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ગંભીર અકસ્માત,આ અકસ્માતમાં એક આશાસ્પદ યુવકે ગુમાવ્યો જીવ

Ahmedabad Samay

દિલ્હી વિધાનસભા ઇલેક્શન જાહેર, ૬૯૯ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો