February 5, 2026
ગુજરાતધર્મ

ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી

ગુજરાતના તમામ જિલ્લાઓની મસ્‍જિદો ઉપર લાઉડ સ્‍પીકરો ચડાવી વહેલી સવારથી રાત્રે સુધી પાંચ-પાંચ વખત નમાજની અજાન દ્વારા ધ્‍વનિ પ્રદૂષણ તેમજ લોકપ્રજામાં પરેશાની ઉભી થઈ છે. આ લાઉડ સ્‍પીકર પર કેટલા પ્રમાણમાં અવાજ રાખવો તેનું નિયંત્રણ નથી ત્‍યારે ધ્‍વનિ પ્રદૂષણ અને લોક પ્રજાને ધ્‍યાને લઈ ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેનાના અધ્‍યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા ગુજરાત ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી છે. જેને લઈને ગુજરાત મંત્રાલયમાં વિષયને ગંભીરતાથી લઈ યોગ્‍ય હુકમ ફરમાવવા પણ આગ્રહ રાખ્‍યો છે. આ મુદ્દે જામનગર હિન્‍દુ સેનાના ગુજરાત અધ્‍યક્ષ પ્રતિક ભટ્ટે ગૃહ મંત્રાલયમાં રજૂઆત કરી છે.

ઘોંઘાટ ઉત્‍પન્ન કરતાં અને નીપજાવતા સ્ત્રોતોના નિયંત્રણ અને નિયમન માટે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ-૧૯૮૬ ની કલમ-૬ તથા ૨૫ હેઠળ ધ્‍વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો- ૨૦૦૦ નું તા. ૧૪ મી ફેબ્રુઆરી- ૨૦૦૦ નું જાહેરનામું પ્રસિદ્ધᅠ કરાયેલ છે જેમાં તા. ૧૧-૧-૨૦૧૦ ના રોજ નિયમોમાં સુધારો કરવામાં આવેલ છે. જે પ્રમાણે ધ્‍વનિ પ્રદૂષણ નિયમો- ૨૦૦૦ અન્‍વયે ધ્‍વનિની માત્રાનાં ધોરણો નક્કી કરવામાં આવેલ છે જેનો સરકાર શ્રી દ્વારા દિવસથી રાત્રી દરમિયાન અને રાત્રીથી દિવસ દરમિયાન ડેસીબલ નક્કી કરેલ છે.

જાહેર સ્‍થળોનો કબજો ધરાવનાર દ્વારા લાઉડ સ્‍પીકર સિસ્‍ટમનો તથા અન્‍ય સાધનોથી ઉત્‍પન્ન થતા અવાજની માત્રા જે તે વિસ્‍તારની નિયત માત્રા કરતા ૧૦ ડીબી (એ) થી વધવી ન જોઈએ.૧ અને ખાનગી સ્‍થળે થતી કાર્યવાહીના કારણે જે તે વિસ્‍તારની નિયત માત્રા કરતા ૫ ડીબી(એ)થી વધવી ન જોઈએ તેઓ પ્રતિબંધ મૂક્‍યો છે અને કોઈને તકલીફ ન પડે તેમજ ધ્‍વનિ પ્રદૂષણ ન થાય તેની તાકીદ રાખવા પણ હુકમ થયેલ જે અંતર્ગત તમામ મસ્જિદો માંથી લાઉડસ્પીકર ઉતારવા માંગ કરવામાં આવી છે.

Related posts

૧૦ થી ૧૨ પ્રશ્નો અંગે બી.એસ.એન.એલ. કર્મચારીઓએ હડતાલ પર

Ahmedabad Samay

અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈને નિમણુંક કરવામાં આવ્યા

Ahmedabad Samay

ગતરોજ ક્રાઈમ બ્રાંચ, વડોદરા ખાતે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા પોલીસ જવાનો સાથે રક્ષાબંધન ઉજવી

Ahmedabad Samay

અખિલ ભારતીય ક્ષત્રિય સેવા દલ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

લોકડાઉન કરો અથવા નિયમો કડક બનાવો આ પ્રકારે લાચાર તંત્રથી કોરોના કાબુમાં નહી આવે: હાઇકોર્ટ

Ahmedabad Samay

નવરાત્રીના ગરબા ઉપર પણ GSTની કુદ્રષ્ટિ પડી, ગરબાના પાસ ઉપર ૧૮ % GST લાગુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો