May 12, 2026
ગુજરાતરાજકારણ

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ:સીઆર પાટીલ

ભાજપે ક્‍યારેય નહીં વિચાર્યું હોય કે તેમના ગઢ એવા ગુજરાતમાં આવી સ્‍થિતિનો સામનો કરવો પડશે. ભાજપના ઘણા ઉમેદવારો પક્ષનો જ જાકારો સહન કરી રહ્યા છે, પરંતુ રાજકોટના ઉમેદવાર અને ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ શમતો નથી અને પક્ષ માટે દિવસે દિવસે સ્‍થિતિ વકરતી જાય છે.

ભાજપે ઉમેદવાર બદલવાની તૈયારી ન બતાવતા ક્ષત્રિય સમાજ  આકરા પાણીએ થયો છે અને તેમનું સંમેલન યોજી માત્ર રૂપાલા નહીં પણ ભાજપનો વિરોધ કરી ક્ષત્રિય સમાજવાળી તમામ બેઠકો પર પક્ષને નુકસાન પહોંચાડવાની વાત કરી છે. રૂપાલાને લીધે નિર્માણ થયેલી સ્‍થિતિનો ઉકેલ કઈ રીતે લાવવો તે માટે પક્ષના અધ્‍યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્‍થાને ભાજપે એક બેઠક બોલાવી હતી .

પાટીલ ઉપરાંત ભાજપના ક્ષત્રિય સમાજના નેતા બલવંતસિંહ રાજપૂત, ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, કેસરીદેવસિંહ, આઈ.કે.જાડેજા જયરાજસિંહ, કિરીટસિંહ રાણા પણ હાજર રહ્યા હતા રાજપૂતોના વિરોધ વચ્‍ચે રાજકોટમાં રૂપાલા નહિ જ બદલાય તેવુ આખરે ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ પરસોત્તમ રૂપાલાએ કહી દીધું છે. જેના બાદ પ્રેસ કોન્‍ફરન્‍સ સંબોધીને સીઆર પાટીલે કહ્યું કે, ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ. તેમણે ત્રણેકવાર માફી માંગી છે. તેમજ પાટીલે અંતે એમ પણ કહ્યું કે, રાજકોટમાં ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી.

Related posts

૨૮ સપ્ટેમ્બરના રોજ જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે

Ahmedabad Samay

NSUI દ્વારા RTE માં ખોટા પુરાવા આપી પ્રવેશ મેળવેલ લોકો સામે તપાસ કરવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

સુરત શહેરમાં રસ્તા પર હાથમાં બંદૂક અને સિગરેટ રાખીને વીડિયો બનાવતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

ક્રૂડના ભાવમાં ૩૨ ટકાનો ઘટાડો, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નહિ, સરકાર ઈચ્છેતો 18% ભાવ ઘટાડીનશકે

Ahmedabad Samay

લો ગાર્ડને ખાણી-પીણીનો ધંધો કરતા વિક્રેતાઓ તેમના મૂળ સ્‍થળે પરત ફર્યા,ફરી જામશે સાંજે ખાવાની મહેફિલો

Ahmedabad Samay

બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ બંગાળના રાજકારણમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા શરૂ, દીદીને રાજીનામું આપવું નથી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો