March 28, 2026
ગુજરાતરાજકારણ

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ:સીઆર પાટીલ

ભાજપે ક્‍યારેય નહીં વિચાર્યું હોય કે તેમના ગઢ એવા ગુજરાતમાં આવી સ્‍થિતિનો સામનો કરવો પડશે. ભાજપના ઘણા ઉમેદવારો પક્ષનો જ જાકારો સહન કરી રહ્યા છે, પરંતુ રાજકોટના ઉમેદવાર અને ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ શમતો નથી અને પક્ષ માટે દિવસે દિવસે સ્‍થિતિ વકરતી જાય છે.

ભાજપે ઉમેદવાર બદલવાની તૈયારી ન બતાવતા ક્ષત્રિય સમાજ  આકરા પાણીએ થયો છે અને તેમનું સંમેલન યોજી માત્ર રૂપાલા નહીં પણ ભાજપનો વિરોધ કરી ક્ષત્રિય સમાજવાળી તમામ બેઠકો પર પક્ષને નુકસાન પહોંચાડવાની વાત કરી છે. રૂપાલાને લીધે નિર્માણ થયેલી સ્‍થિતિનો ઉકેલ કઈ રીતે લાવવો તે માટે પક્ષના અધ્‍યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્‍થાને ભાજપે એક બેઠક બોલાવી હતી .

પાટીલ ઉપરાંત ભાજપના ક્ષત્રિય સમાજના નેતા બલવંતસિંહ રાજપૂત, ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, કેસરીદેવસિંહ, આઈ.કે.જાડેજા જયરાજસિંહ, કિરીટસિંહ રાણા પણ હાજર રહ્યા હતા રાજપૂતોના વિરોધ વચ્‍ચે રાજકોટમાં રૂપાલા નહિ જ બદલાય તેવુ આખરે ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ પરસોત્તમ રૂપાલાએ કહી દીધું છે. જેના બાદ પ્રેસ કોન્‍ફરન્‍સ સંબોધીને સીઆર પાટીલે કહ્યું કે, ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ. તેમણે ત્રણેકવાર માફી માંગી છે. તેમજ પાટીલે અંતે એમ પણ કહ્યું કે, રાજકોટમાં ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી.

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવી

Ahmedabad Samay

કોરોના પ્રુફ કપડા પહેરો અને બેફિકર ફરો

Ahmedabad Samay

કલ્યાણપુર,ભરત્તારપુરા ગામ ના રહિશો વડે જોગણી માતા મંદિર, ભાર્ગવ રોડ ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

બે ડોઝ છે ફાયદાકારક, બે ડોઝ બાદ ઝડપથી રિકવરી આવી

Ahmedabad Samay

ઝોન વાઇસ છુટ આપવું પડ્યું ભારે, એક દિવસમાં ૨૯૦૦ થી વધુ કેસ નોંધાયા

Ahmedabad Samay

TRP ગેમ ઝોનમાં અનેક પરિવારના માસુમ ભૂલકાંઓ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અત્યાર સુધીમાં ૨૬ જેટલા મૃતદેહ મળ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો