May 12, 2026
ગુજરાતરાજકારણ

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ:સીઆર પાટીલ

ભાજપે ક્‍યારેય નહીં વિચાર્યું હોય કે તેમના ગઢ એવા ગુજરાતમાં આવી સ્‍થિતિનો સામનો કરવો પડશે. ભાજપના ઘણા ઉમેદવારો પક્ષનો જ જાકારો સહન કરી રહ્યા છે, પરંતુ રાજકોટના ઉમેદવાર અને ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ શમતો નથી અને પક્ષ માટે દિવસે દિવસે સ્‍થિતિ વકરતી જાય છે.

ભાજપે ઉમેદવાર બદલવાની તૈયારી ન બતાવતા ક્ષત્રિય સમાજ  આકરા પાણીએ થયો છે અને તેમનું સંમેલન યોજી માત્ર રૂપાલા નહીં પણ ભાજપનો વિરોધ કરી ક્ષત્રિય સમાજવાળી તમામ બેઠકો પર પક્ષને નુકસાન પહોંચાડવાની વાત કરી છે. રૂપાલાને લીધે નિર્માણ થયેલી સ્‍થિતિનો ઉકેલ કઈ રીતે લાવવો તે માટે પક્ષના અધ્‍યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્‍થાને ભાજપે એક બેઠક બોલાવી હતી .

પાટીલ ઉપરાંત ભાજપના ક્ષત્રિય સમાજના નેતા બલવંતસિંહ રાજપૂત, ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, કેસરીદેવસિંહ, આઈ.કે.જાડેજા જયરાજસિંહ, કિરીટસિંહ રાણા પણ હાજર રહ્યા હતા રાજપૂતોના વિરોધ વચ્‍ચે રાજકોટમાં રૂપાલા નહિ જ બદલાય તેવુ આખરે ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ પરસોત્તમ રૂપાલાએ કહી દીધું છે. જેના બાદ પ્રેસ કોન્‍ફરન્‍સ સંબોધીને સીઆર પાટીલે કહ્યું કે, ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ. તેમણે ત્રણેકવાર માફી માંગી છે. તેમજ પાટીલે અંતે એમ પણ કહ્યું કે, રાજકોટમાં ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી.

Related posts

પટેલ સરકારમાં ૧૨ જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે

Ahmedabad Samay

આપ ની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2023નું ઉદ્દઘાટન કર્યુ,જાણો ફલાવર શો વિશેની તમામ માહિતી

Ahmedabad Samay

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

Ahmedabad Samay

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay

AAP નો જીગ્નેશ મેવાણીને ટેકો જાહેર કર્યો, દારૂના અડ્ડા બંધ થશે કે બંધબારણે સેટિંગમાં બેસસે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો