February 5, 2026
ગુજરાતરાજકારણ

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ:સીઆર પાટીલ

ભાજપે ક્‍યારેય નહીં વિચાર્યું હોય કે તેમના ગઢ એવા ગુજરાતમાં આવી સ્‍થિતિનો સામનો કરવો પડશે. ભાજપના ઘણા ઉમેદવારો પક્ષનો જ જાકારો સહન કરી રહ્યા છે, પરંતુ રાજકોટના ઉમેદવાર અને ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ શમતો નથી અને પક્ષ માટે દિવસે દિવસે સ્‍થિતિ વકરતી જાય છે.

ભાજપે ઉમેદવાર બદલવાની તૈયારી ન બતાવતા ક્ષત્રિય સમાજ  આકરા પાણીએ થયો છે અને તેમનું સંમેલન યોજી માત્ર રૂપાલા નહીં પણ ભાજપનો વિરોધ કરી ક્ષત્રિય સમાજવાળી તમામ બેઠકો પર પક્ષને નુકસાન પહોંચાડવાની વાત કરી છે. રૂપાલાને લીધે નિર્માણ થયેલી સ્‍થિતિનો ઉકેલ કઈ રીતે લાવવો તે માટે પક્ષના અધ્‍યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્‍થાને ભાજપે એક બેઠક બોલાવી હતી .

પાટીલ ઉપરાંત ભાજપના ક્ષત્રિય સમાજના નેતા બલવંતસિંહ રાજપૂત, ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, કેસરીદેવસિંહ, આઈ.કે.જાડેજા જયરાજસિંહ, કિરીટસિંહ રાણા પણ હાજર રહ્યા હતા રાજપૂતોના વિરોધ વચ્‍ચે રાજકોટમાં રૂપાલા નહિ જ બદલાય તેવુ આખરે ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ પરસોત્તમ રૂપાલાએ કહી દીધું છે. જેના બાદ પ્રેસ કોન્‍ફરન્‍સ સંબોધીને સીઆર પાટીલે કહ્યું કે, ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ. તેમણે ત્રણેકવાર માફી માંગી છે. તેમજ પાટીલે અંતે એમ પણ કહ્યું કે, રાજકોટમાં ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી.

Related posts

છૂટ છાટ સાથે મીની લોકડાઉન લંબાય તેવી શક્યતા, સાંજે નિર્ણય લેવાશે

Ahmedabad Samay

દિલ્‍હી બાદ અમદાવાદ શહેરની સાતેક સ્‍કૂલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યો

Ahmedabad Samay

નાયબ મુખ્યમંત્રી ના દાવા પડ્યા ખોટા,અમદાવાદ સમય ની જાચ પડતાલમાં પકડાયું સરકારનું જુઠાણું

Ahmedabad Samay

અનલોક 3 ની તૈયારી શરૂ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ, જીમ, થિયેટર ચાલુ થાય તેવી શકયતા

Ahmedabad Samay

ચાંદખેડા પોલીસ સ્ટેશન તેમજ સોલા અને સાબરમતી પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારો ગાંધીનગર પોલીસ કમિશનરના તાબા હેઠળ

Ahmedabad Samay

બ્રિટન: એક ગ્રાહક માત્ર બે ટામેટાં અને બે કાકડી જ ખરીદી શકશે, શાકભાજી પર લાગી લિમિટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો