February 8, 2026
ગુજરાત

CTM ખાતે આવેલ પાથરણ બજાર વાળા દ્વારા ભીખ માગવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી રોજીરોટી શરૂ કરવા માંગ કરવામાં આવેલ

છેલ્લા ૧૫ દિવસથી દબાણ ખાતાના અમાનુષી અત્યાચાર ના પરિણામે ભૂખ મરા ના ખપ્પર મા હોમાઈ ગયેલા ગયેલા પાથરણ બજાર વાળા દ્વારા ભીખ માગવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી રોજીરોટી શરૂ કરવા કરવામાં આવેલ માંગ

અમદાવાદ શહેરમાં સવારના ૪-૦૦ વાગે દબાણ ખાતા ની ગાડીઓ જોવી હોય તો CTM ખાતે શિરોમણી કોમ્પલેક્ષની બહાર,એક્સપ્રેસ હાઈવે સામે જોવા મળશે. અહીં કોઈ મોટા દબાણ દૂર કરવા માટે નહીં પરંતુ જે ગરીબો લાચારો જેઓ દારૂ જુગાર ડ્રગ્સ કે ગેરકાયદેસર વ્યાપાર ન કરી પોતાની રોજી રોટી માટે લારી પાથરણા કરીને શાકભાજી વેચે છે એમને ગ્રીન માર્કેટના માલે તુંજારો વ્યાપારીઓના હિસાબે દૂર કરવામાં આવે છે.

ગ્રહનીઓ ને ગ્રીન માર્કેટની મોંઘા ભાવની શાકભાજીના બદલે લારી પાથરણા વાળા પાસેથી સસ્તી સારી અને તાજી શાકભાજી મળતી હોવાથી દૂર દૂરથી ગૃહિણીઓ  ખરીદી કરવા આવે છે,આ પાથરણા વાળાઓ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી શાકભાજી વેચે છે જેથી ખેડૂતોને પણ તેનો લાભ થાય છે ગ્રીન માર્કેટ કરતા સસ્તુ હોવાથી સ્વાભાવિક રીતે ખરીદી કરનારાં ઓ ની ભીડ જોવા મળે છે

જેને દબાણ કહીને મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ તેમને દૂર કરે છે પરિણામે છેલ્લા ૧૫ દિવસથી તેમની રોજી રોટી ઉપર અસર થતા 300 જેટલા પરિવારો ભૂખમરા ના ખપ્પર માં હોમાઈ ગયા છે એક તરફ સરકારે તેમને સ્વનિર્ભર યોજના હેઠળ આર્થિક સહાય આપી છે બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશને વેચાણ માટેના પરવાના આપ્યા છે

છતાં તેને દૂર કરવામાં આવતા તેના વિરોધ મા માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ તથા સીટીએમ સરદાર પટેલ પાથરણા બજાર ના પ્રમુખ રમેશ ભીલ ની આગેવાની હેઠળ ભારે આક્રોશ સાથે સૂત્રોચાર યોજી શાકભાજી પાથરણા વાળા દ્વારા ભીખ માગવાનો પ્રતિકાત્મક અનોખું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું કેમકે તેમની રોજી રોટી ઉપર અસર થઈ હોવાથી તેમની પાસે આવક કોઈ સાધન ન હોવાથી ભીખ માગવા સિવાય કોઈ વિકલ્પ નથી તેમ દર્શાવવામાં આવ્યું હતું અને એકી આવજે માગણી કરી હતી કે અમારા પરિવાર માં વૃદ્ધ માતા-પિતા, બાળકો સહિત ૧૫ થી ૨૦ નો પરિવાર હોય આખો પરિવાર ભૂખમરા ના ખપ્પરમાં હોમાઈ ગયા હોવાથી તાત્કાલિક અસરથી રોજી રોટી શરૂ કરવા માંગ કરવામાં આવી હતી.

Related posts

ઓલ ઇન્ડિયા ઘનગર સમાજ મહાસંઘ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સ્માહરો યોજાયો

Ahmedabad Samay

અમિતભાઇ શાહે અમદાવાદમાં ૨૧ જેટલા તળાવોને વધુ આકર્ષિત કરવા તાકીદ કર્યું

Ahmedabad Samay

પોરબંદરના શૂટર્સની સિઘ્ધિ: પિસ્તોલ અને રાયફલ શૂટીંગમાં મેળવ્યાં ગોલ્ડ અને બ્રોન્ઝ

Ahmedabad Samay

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ખાટુશ્યામની થીમ પર ગણેશમોહત્સવનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ -પોલીસે ઓવર સ્પીડ, ડ્રંક એન્ડ ડ્રાઈવ સહીત 192 કેસો 24 કલાકમાં નોંધ્યા

Ahmedabad Samay

૧૨ સાયન્‍સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આવતીકાલે વેબસાઇટ ઉપર જાહેર થશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો