March 24, 2026
Other

ઈરાન સામે ઈઝરાયેલના જવાબી પગલાની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી

ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલથી હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી છે, જેના કારણે મોટા પાયે યુદ્ધની સ્‍થિતિ સર્જાઈ છે. ઈરાન સામે ઈઝરાયેલના જવાબી પગલાની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી હતી. સેન્‍સેક્‍સ અને નિફ્‌ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્‍યો છે. શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગમાં જ કડાકો બોલી ગયો હતો. સેન્‍સેક્‍સ આજે ૧૦  કલાકે  ૫૧૪ પોઈન્‍ટ ઘટીને  ૭૧૯૭૪ પર પોઈન્‍ટની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જ્‍યારે નિફ્‌ટી ૧૫૨ થી વધુ પોઈન્‍ટ ઘટીને ૨૧૮૪૩ પર ટ્રેડ કરી રહ્યો છે.

BSE સેન્‍સેક્‍સના તમામ ટોચના ૩૦ શેરોમાંથી, ITC અને Titanના શેરમાં વધારો થયો હતો, પરંતુ બાકીના ૨૮ શેરમાં ઘટાડો થયો છે. આઈફોસિસમાં લગભગ બે ટકાનો ઘટાડો જોવા મળ્‍યો છે. આ સિવાય AXIS, L&T, નેસ્‍લે જેવા શેર પણ ૧.૫૦ ટકાથી વધુ તૂટયા છે. જ્‍યારે NSEના ૧૮૦૦ શૅર્સમાં ઘટાડો છે, જ્‍યારે ૩૪૪માં વધારો જોવા મળી રહ્યો છે.

NSEના ૨,૨૧૪ શેરોમાંથી ૫૩ શેરમાં લોઅર સર્કિટ છે, જ્‍યારે ૪૦માં અપર સર્કિટ છે. ૧૫ શેરો ૫૨ સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા છે. બેન્‍ક નિફ્‌ટીમાં આજે લગભગ ૩૦૦ ટકાનો ઘટાડો થયો છે, જ્‍યારે મિડકેપ અને સ્‍મોલકેપ સૂચકાંકોમાં ૧૫૦ પોઈન્‍ટ સુધીનો ઘટાડો થયો છે. આ સિવાય આજે નિફ્‌ટીના તમામ સેક્‍ટરમાં જોરદાર ઘટાડો જોવા મળ્‍યો છે. ઓટોથી લઈને આઈટી, હેલ્‍થકેર અને ઓઈલમાં ૧ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્‍યો છે.

કયા શેરોમાં મોટોઘ ટાડો જોવા મળ્‍યો?

સૌથી વધુ ઘટતા શેર્સની વાત કરીએ તો, NBCC India ૩ ટકા, ટાટા કોમ્‍યુનિકેશન લગભગ ૫ ટકા, Nykaa ૩ ટકા, HPCL લગભગ ૩ ટકા, BPCL ૩.૩૯ ટકા, કેનેરા બેન્‍ક ૨.૮૯ ટકા અને ICICI પ્રુડેન્‍શિયલ ૩.૭૨ ટકા ઘટયા છે”

Related posts

માંગોનેᅠપંજાબથી દિલ્‍હીની બાજુ કુચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લેતુ જઈ રહ્યું છે

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુંકુ કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન, સંપૂર્ણ તૈયારિયો થઇ પૂર્ણ

Ahmedabad Samay

મહાકુંભમાં મૌની અમાવસ્‍યા પર સ્નાન માટે ભીડ વધી જવાથી ભાગદોડ મચી, ૨૦ જેટલા મૃત્યુ પામ્યા ૫૦ જેટલા શ્રધ્ધાળુઓ ઘવાયા

Ahmedabad Samay

સુરત ખાતે આયોજિત કરાટે કોમ્પિટિશનમાં ચેમ્પયનસ કરાટે એકેડેમી માથી બાળકો એ અલગ અલગ કેટેગરીમાં વિજય બન્યા

Ahmedabad Samay

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો