August 8, 2026
ગુજરાત

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે સમાજનું દ્રુતીય સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું

આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે સમાજનું દ્રુતીય સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમની શરૂઆતમાં ભગવાની આરતી કરી રાજકોટમાં બનેલ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ માસુમ ફુલકાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી,


આ કાર્યક્રમમાં સમાજના યુવાનો દ્વારા ડાન્સ, સીનગીગ, ડ્રોઈંગ, મિમિક્રી, મોટિવેશનલ સ્પીચ અને તલવારબાજી કરવામાં આવી હતી, જેમાં આ કાર્યક્રમમાં ખાસ કરીને સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવેલ મરાઠી સંસ્કૃતિ ડાન્સ આકર્ષણનો કેન્દ્ર બન્યું હતું, મરાઠી સમાજના જુદા જુદા પંચના તમામ હોદેદારોને ફૂલ હારથી સન્માનિત કરવામાં આવ્યા હતા,

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ સમાજ બંધુઓએ સામુહિક ભોજનનો કર્યું હતું અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું, ટ્રસ્ટના જિલ્લા અધ્યક્ષ શ્રી સંજયભાઇ દેવલેકરે ઉપસ્થિત તમામ સમાજ બંધુઓ અને આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

ભાજપે વિકાસ તો કોંગ્રેસે મોંઘવારી બેકારી ગરીબી વગેરે મુદ્દા આવરી લીધા છે.

Ahmedabad Samay

ભારત જોડો યાત્રા 2.0 : શું રાહુલ ગાંધી ગુજરાતથી પોતાના પ્રવાસની શરૂઆત કરી શકે છે?

Ahmedabad Samay

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરાયું

Ahmedabad Samay

અસારવા વિસ્તારમાં ના  બ્રહ્મચારી ના ડેલામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભાની સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય પ્રવાસનો આયોજન કરવામાં આવ્યુ

Ahmedabad Samay

ઓલ ઇન્ડિયા પોલીસ 9 થી 13 મે સુધી બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે ગુજરાત પોલીસનું સિલેક્શન સુરતમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો