કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે ૫ નવા બ્રિજ બનાવવાનું આયોજન અને ૭ સ્થળો પર મોટા ફ્લાય ઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નીરાકરણ કરવા માટે એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ૫ નવા બ્રિજ બનાવવામાં આવશે, જ્યારે અન્ય ૭ સ્થળો પર ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની શક્યતાઓ તપાસવામાં આવશે.
શહેરમાં ૫ નવા બ્રિજ બનાવવાનું આયોજન
* ઇસ્કોન જંક્શન પર ૨૫૦ કરોડ રૃપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવશે.
* ચાંદલોડિયા સિલ્વર સ્ટાર ચાર રસ્તા ખાતે ૮૦ કરોડ રૃપિયાના ખર્ચે બ્રિજ બનાવવાનું આયોજન
* રાજપથ રંગોલી રોડ પર ૩૫ કરોડ રૃપિયાના ખર્ચે અંડર પાસ બનાવવાનું આયોજન
* પંચવટી સર્કલ પર ૯૦ કરોડ રૃપિયાના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનું આયોજન
* પીરાણાથી પિપડજ જવા માટે ૪૫ કરોડ રૃપિયાના ખર્ચે માઈનોર બ્રિજ બનાવવાનું આયોજન
આ ૭ સ્થળો પર વિશાળ ફ્લાય ઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની શકયતા છે
* IIM જંક્શન BRTSને સમાંતર સેકન્ડ લેવલ બ્રિજ (ડબલ ડેકર બ્રિજ)
* શ્યામલથી SG હાઇવે, ઇસ્કોનથી બોપલ વકીલ સાહેબ બ્રિજ થઈને ઘુમા સુધી એલિવેટેડ કોરિડોર
* નહેરુનગરથી SG હાઇવે સુધી એલિવેટેડ કોરિડોર
* પાલડી જંક્શન પર ફિજીબિલિટી સર્વેની કામગીરી
* નરોડા દહેગામ જંક્શન પર સેકન્ડ લેવલ ફ્લાય ઓવરબ્રિજ સર્વેની કામગીરી
* ઓઢવ-કઠવાડા રિંગ રોડ જંક્શન પર સેકન્ડ લેવલ બ્રિજ સર્વેની કામગીરી
શહેરના અન્ય ૭ સ્થળો પર મોટા ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની શક્યતા તપાસવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યાને વધુ અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય. અમદાવાદ શહેરની વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા બ્રિજ અને ફ્લાયઓવર બનવાથી શહેરના નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે, તેમજ શહેરના વિકાસને પણ વેગ મળશે.
