અમદાવાદના ગોમતીપુરમાં ફરી અસામાજિક તત્વો જાહેરમાં લોકો સાથે દાદાગીરી કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાથમાં તલવાર લઈને લોકોને ડરાવવામાં આવ્યા તેમજ જ્યુસના વેપારીની લારી પર તોડફોડ કરી તલવારથી હુમલો કર્યો હતો
ઉછીના રૂપિયા નહીં આપતા લુખ્ખા તત્વોએ મારામારી કરી હતી. રૂપિયા નહીં આપનાર યુવકની દુકાન પર તોડફોડ કરી અને ડરનો માહોલ ઉભો કર્યો હતો. જાહેરમાં પોલીસને પડકારતા દ્રશ્યો ફરી લોકો સમક્ષ આવ્યા છે.
અગાઉ આવા કિસ્સામાં પોલીસે બુલડોઝર કાર્યવાહી કરી હોવા છતાં ગુંડાઓમાં કેમ ડર નથી ? તે લોકોમાં સૌથી મોટો સવાલ ઉભો થાય છે,
અમદાવાદમાં અસામાજિક તત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં અવારનવાર લુખ્ખાતત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે જાહેરમાં મારામારીની ઘટના બનતા હવે પ્રજામાં પણ લુખ્ખા તત્વોનો ડર જોવા મળી રહ્યો છે.
