February 13, 2026
અપરાધ

કર્ણાવતી પગરખામાં નોકરી કરતા રજનીશ વધોરા ને કર્ણાવતી પગરખામાં જ ધંધો કરતા એક વેપારીએ અંગત અદાવતમાં માર માર્યું, 

કર્ણાવતી પગરખા ખાતે નોકરી કરતા,વાડજ ખાતે રહેતા રજનીશ વધોરા ને કર્ણાવતી પગરખામાં ધંધો કરતા વેપારીએ અંગત અદાવતમાં માર માર્યું,

આ અંગે રજનીશભાઇએ વધુ માહિતી આપતા જણાવ્યું હતુ કે તા-૧૪/૧૦/૨૦૨૫ રોજ રાત્રીના આશરે અગીયારેક વાગ્યાની આસપાસ હુ મારી રેગ્યુલર સમય પ્રમાણે નોકરી પુરી કરી જમી પરવારી સુઈ ગયેલ હતો બાદ તા-૧૫/૧૦/૨૦૨૫ના આશરે સ.કલાક ૦૧/૧૫ વાગ્યાની આસપાસ હુ સિગરેટ પીવા માટે નિચે આવેલ,

તે દરમ્યાન પરેશ ચાવડા જે સાગર મકવાણનો કારીગર કર્ણાવતી પગરખાના મેઇન દરવાજાની આગળ ફુટપાથ આગળ આવી મને કહેલ કે તારે કંઇ લેવુ છે તેમ જણાવતા મે ના પાડેલ ત્યારબાદ ત્યાં અશ્વીન ડાંગર કે જે અમારા કર્ણાવતી પગરખા બજારમા દુકાન નં-૧૬ ધરાવે છે તેણે મને કહેલ કે મને લાઇટર આપ જેથી મે કહેલ કે મારી પાસે નથી તેમ જણાવતા અશ્વિન ત્યાંથી જતો રહેલ હતો,

હુ કર્ણાવતી પગરખાના મેઇન દરવાજાની આગળ ફુટપાથ ઉપર બેસેલ હતો ત્યારે સાગર મકવાણા કે જે અમારા કર્ણાવતી પગરખા બજારમાં દુકાન નં-૦૪ ધરાવે છે તથા તેની સાથે એક અજાણ્યા પુરૂષ તથા સ્ત્રી આવેલ અને કર્ણાવતી પગરખાની સીડીની બાજુમાં ઉભા રહી ચર્ચા કરી થોડી વારમા ત્યાંથી જતા રહેલ,

ત્યારબાદ સાગર મકવાણા નાઓ મારી પાસે આવેલ અને મને કહેલ કે તુ મારા કારીગરની શુ વાત કરતો હતો જેથી મે કહેલ કે હુ તારા કારીગરની કંઇ વાત કરતો નથી મારે તેની સાથે કોઇ મતલબ નથી તેમ કહેતા આ સાગર મકવાણા નાઓ મારી સાથે બિભત્સ ગાળા ગાળી કરવા લાગેલ હોય જેથી તેમનો કારીગર પરેશ ચાવડા  આવી ગયેલ અને પરેશ ચાવડા મને પકડી રાખેલ હોય અને સાગર મકવાણા મને ગડદા પાટુનો માર મારવા લાગેલ હોય અને પરેશ ચાવડા નાઓ પણ મને માર મારતા હોય જેથી હુ પહેલા માળે જતો રહેલ હતો અને ફરીથી થોડી વારમા નિચે આવેલ તે દરમ્યાન મને ફરી આ સાગર મકવાણા તથા પરેશ ચાવડા નાઓએ મને ખાટલામાં પાડી દિધેલ અને ફરીથી મારા મારવામાં આવ્યાયુ,

મને ધમકી આપતા કીધું કે બીજી વખત તારો વારો છે હુ તને જોઇ લઈશ તેવી ધમકીઓ આપેલ હોય જેથી હુ જે તે દિવસે ડરી ગયેલ અને આ બાબતે મારા ભાઈ રાજેશભાઇ નાઓને વાત કરતા આજરોજ તેઓની સાથે આ સાગર મકવાણા, પરેશ ચાવડા તથા અશ્વિન ડાંગર નાઓની વિરૂધ્ધ ફરીયાદ કરવા આવેલ છુ.

આ અંગે વાડજ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દિલ્હીના સીએમ ને લાફો મારનાર ના માતાએ કર્યા મોટા ખુલાસા, હાલમાં માનસિક તકલીફ પણ ધરાવે છે. તે ગમે ત્‍યારે ગુસ્‍સો થઇ જાય તો ઘરમાં અમને પણ મારકુટ કરી લેતો જણાવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

Ahmedabad Samay

અમદાવાદના કૃષ્ણનગરમાં ૭ થી ૮ લોકોએ એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા

Ahmedabad Samay

અમદાવાદ: જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મહિલાઓ સહિત વધુ 30ની ધરપકડ, આટલા લાખ આપી પેપર ખરીદ્યાનો આરોપ!

admin

આઇશાના પરિવાર દ્વારા પત્રકાર પરિષદમાં ચોકાવનાર કિસ્સા લાવ્યા સામે

Ahmedabad Samay

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્રગીરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં અનેક વિસ્ફોટકજનક વિગતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો