આજ રોજ અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરવામાં આવી હતી જેની આજ રોજ તમામ સમાજ બંધુઓ દ્વારા જ્યાં જ્યાં માં ગૌરીની સ્થાપના કરવામાં આવેલ હોય છે તેમના ઘરે જઈ તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે,
જેમના ઘરે માં ગૌરીની સ્થાપના કરવામાં આવે છે તે ઘરના ગણેશજીને “ગવર ગણપતિ” કહેવામાં આવે છે તેની વિશેષતા એ છે કે આ ગણેશજી પાંચ કાતો સાત દિવસ માટે તિથિ પ્રમાણે સ્થાપિત કરવામાં આવતા હોય છે, માં ગૌરીની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને એક કુટુંબમાં, પરિવારમાં કોઈપણ એકજ સભ્યના ત્યાં તેમની સ્થાપના કરી શકાય છે,
અમદાવાદના ઘણા એવા પરિવાર છે જે વર્ષોથી કુટુંબમાં માં ગવર ગણપતિની ની સ્થપના કરે છે, જેમાં થી સમાજના મુરુડકર પરિવાર, દેવલેકર પરિવાર, ભોજકર પરિવાર, સાવરડેકર પરિવાર, હેલે પરિવાર, પાંચનેકર પરિવાર, યેશવેકર પરિવાર, પંંદિરકર પરિવાર અને અન્ય કુટુંબમાં કુટુંબના સભ્યો એકત્રિત થઈને માં ગૌરીની સ્થાપના કરે છે અને કુટુંબીજનો અને સમાજના લોકો દ્વારા આજના દિવસે માં ગૌરીની અને ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે
