March 25, 2026
ગુજરાતધર્મ

અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરાઈ, આજે કરાશે માં ગૌરીની વિશેષ પૂજા

આજ રોજ અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરવામાં આવી હતી જેની આજ રોજ તમામ સમાજ બંધુઓ દ્વારા જ્યાં જ્યાં માં ગૌરીની સ્થાપના કરવામાં આવેલ હોય છે તેમના ઘરે જઈ તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે,

જેમના ઘરે માં ગૌરીની સ્થાપના કરવામાં આવે છે તે ઘરના ગણેશજીને “ગવર ગણપતિ” કહેવામાં આવે છે તેની વિશેષતા એ છે કે આ ગણેશજી પાંચ કાતો સાત દિવસ માટે તિથિ પ્રમાણે સ્થાપિત કરવામાં આવતા હોય છે, માં ગૌરીની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને એક કુટુંબમાં, પરિવારમાં કોઈપણ એકજ સભ્યના ત્યાં તેમની સ્થાપના કરી શકાય છે,

અમદાવાદના ઘણા એવા પરિવાર છે જે વર્ષોથી કુટુંબમાં માં ગવર ગણપતિની ની સ્થપના કરે છે, જેમાં થી સમાજના મુરુડકર પરિવાર, દેવલેકર પરિવાર, ભોજકર પરિવાર, સાવરડેકર પરિવાર, હેલે પરિવાર, પાંચનેકર પરિવાર, યેશવેકર પરિવાર, પંંદિરકર પરિવાર અને અન્ય કુટુંબમાં કુટુંબના સભ્યો એકત્રિત થઈને માં ગૌરીની સ્થાપના કરે છે અને કુટુંબીજનો અને સમાજના લોકો દ્વારા આજના દિવસે માં ગૌરીની અને ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે

Related posts

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી, અમદાવાદ નો ૪ થો પદ્ વિદાન સમારંભ યોજાયો

Ahmedabad Samay

માતા કેમ નથી જોતી પોતાના પુત્રના લગ્નના ફેરા? જાણો આની પાછળ છુપાયા છે એક નહીં, ઘણા કારણો

Ahmedabad Samay

અમદાવાદ: 23 ખાનગી શાળાઓ બંધ થવાની સંભાવના, અપૂરતા વિદ્યાર્થીઓ બનશે કારણ

Ahmedabad Samay

CM ભૂપેન્દ્રભાઇ પટેલે સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી

Ahmedabad Samay

નવા શૈક્ષણિક સત્ર પ્રમાણે છ વર્ષમાં એક દિવસ પણ ખૂટતો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ આપવામાં આવે

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા મરાઠી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો