February 14, 2026
દુનિયા

સુદાનમાં ભૂસ્‍ખલનમાં ઓછામાં ઓછા ૧૦૦૦ લોકો મૃત્‍યુ પામ્‍યા

સુદાનમાં ભૂસ્‍ખલનમાં ઓછામાં ઓછા એક હજાર લોકો મૃત્‍યુ પામ્‍યા છે. આ બધા લોકો એક જ ગામના રહેવાસી હતા. સુદાન લિબરેશન આર્મીએ સોમવારે જણાવ્‍યું હતું કે પヘમિ સુદાનના મરા પર્વતીય પ્રદેશમાં એક ગામ ભૂસ્‍ખલનથી સંપૂર્ણપણે નાશ પામ્‍યું હતું. આનાથી ગામમાં રહેતા લગભગ એક હજાર લોકો માર્યા ગયા. આ અકસ્‍માત પછી, આખા ગામમાં ફક્‍ત એક જ વ્‍યક્‍તિ જીવિત બચી છે.

અબ્‍દેલવાહિદ મોહમ્‍મદ નૂરના નેતૃત્‍વ હેઠળના જૂથે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે ૩૧ ઓગસ્‍ટે ભારે વરસાદ પછી ભૂસ્‍ખલન થયું હતું. આનાથી ગામ સંપૂર્ણપણે જમીનદોસ્‍ત થઈ ગયું છે. સુદાનમાં આ કુદરતી આફત અફઘાનિસ્‍તાનમાં ભૂકંપ પહેલા આવી હતી. અફઘાનિસ્‍તાનમાં ૩૧ ઓગસ્‍ટની રાત્રે ૬ ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ મચાવ્‍યો છે. આ ભૂકંપમાં દેશમાં ૮૦૦ થી વધુ લોકોના મોત થયા છે.

દારફુર ક્ષેત્રમાં સ્‍થિત આ વિસ્‍તારને નિયંત્રિત કરતી ચળવળે પીડિતોના મૃતદેહ મેળવવા માટે સંયુક્‍ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સહાય એજન્‍સીઓને મદદ માટે અપીલ કરી છે. માર્યા ગયેલાઓમાં મોટી સંખ્‍યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

ઉત્તર દારફુર રાજ્‍યમાં સુદાનની સેના અને અર્ધલશ્‍કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધથી ભાગીને રહેવાસીઓએ મરા પર્વતીય પ્રદેશમાં આશરો લીધો છે. અહીં ખોરાક અને દવાઓના અભાવે લોકો મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યા છે.

સુદાનમાં છેલ્‍લા બે વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધને કારણે, અડધાથી વધુ વસ્‍તી ભૂખમરાના સંકટનો સામનો કરી રહી છે. આ કારણે, લાખો લોકો તેમના ઘરમાંથી બેઘર થઈ ગયા છે. ઉત્તર દારફુર રાજ્‍યની રાજધાની અલ-ફાશીર પર પણ સતત ગોળીબાર થઈ રહ્યો છે.

Related posts

પાકિસ્તાન: નવાઝ શરીફની દીકરી મરિયમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને આપી ખુલ્લેઆમ ધમકી!

Ahmedabad Samay

કુરાન સળગાવવાની આગ સ્વીડનથી ઇરાકમાં સ્વીડિશ દૂતાવાસ પહોંચી, પ્રદર્શનકારીઓએ કર્યો હુમલો

Ahmedabad Samay

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે રેકોર્ડ 28 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા.

Ahmedabad Samay

અમેરિકા: ટેનેસી શહેરમાં અચાનક તમામ નળમાં પાણીની જગ્યાએ આવ્યું ડીઝલ, લોકો આશ્ચર્યચકિત

Ahmedabad Samay

ટ્રમ્‍પનો ટેરિફ ભારત માટે આંચકો નથી, અમેરિકાની દરેક બીમારીનો ઈલાજ ભારત પાસે

Ahmedabad Samay

કુખ્‍યાત અમેરિકન જાતીય ગુનેગાર જેફરી એપ્‍સટિન સંબંધિત દસ્‍તાવેજો બહાર આવતા વિશ્વભરમાં ખળભળાટ, મોટા મોટા નેતાઓના રાજીમાં આપવાની ફરજ પડી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો