શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રના પુણે પછી અમદાવાદ આવશે. મહારાષ્ટ્રમાં તેઓ પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં વેક્સિન અંગે જાહેરાત કરવાના છે. ત્યારબાદ તેઓ ગુજરાત આવશે
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર ખાતે આવેલી ઝાયડસ કેડિલા ઇન્સ્ટિટ્યૂટમાં તેઓ વેક્સિનની ટ્રાયલ અંગે જાહેરાત કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એક જ દિવસમાં બે મોટી ઇન્સ્ટિટ્યૂટમાં વેક્સિન માટે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ ગ્રામ્યના ચાંગોદરમાં આવેલી કેડિલા ફાર્માસ્યૂટિકલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન અંગે જાહેરાત કરે તેવી શક્યતા
સૂત્ર અનુસાર જણાવ્યાનુસાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું બપોરે ત્રણ વાગે પૂણાથી અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ચાંગોદર જશે. ચાંગોદરમાં કેડિલા ફાર્મસીની જે કંપની આવેલી છે ત્યાં હેલિપેડ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. ત્યાં તેઓ ઝાયડસ કેડિલા કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી વૈક્સિન અંગે જાહેરાત કરશે.
