March 27, 2026
ગુજરાતધર્મ

અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરાઈ, આજે કરાશે માં ગૌરીની વિશેષ પૂજા

આજ રોજ અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરવામાં આવી હતી જેની આજ રોજ તમામ સમાજ બંધુઓ દ્વારા જ્યાં જ્યાં માં ગૌરીની સ્થાપના કરવામાં આવેલ હોય છે તેમના ઘરે જઈ તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે,

જેમના ઘરે માં ગૌરીની સ્થાપના કરવામાં આવે છે તે ઘરના ગણેશજીને “ગવર ગણપતિ” કહેવામાં આવે છે તેની વિશેષતા એ છે કે આ ગણેશજી પાંચ કાતો સાત દિવસ માટે તિથિ પ્રમાણે સ્થાપિત કરવામાં આવતા હોય છે, માં ગૌરીની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને એક કુટુંબમાં, પરિવારમાં કોઈપણ એકજ સભ્યના ત્યાં તેમની સ્થાપના કરી શકાય છે,

અમદાવાદના ઘણા એવા પરિવાર છે જે વર્ષોથી કુટુંબમાં માં ગવર ગણપતિની ની સ્થપના કરે છે, જેમાં થી સમાજના મુરુડકર પરિવાર, દેવલેકર પરિવાર, ભોજકર પરિવાર, સાવરડેકર પરિવાર, હેલે પરિવાર, પાંચનેકર પરિવાર, યેશવેકર પરિવાર, પંંદિરકર પરિવાર અને અન્ય કુટુંબમાં કુટુંબના સભ્યો એકત્રિત થઈને માં ગૌરીની સ્થાપના કરે છે અને કુટુંબીજનો અને સમાજના લોકો દ્વારા આજના દિવસે માં ગૌરીની અને ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે

Related posts

અમદાવાદમાં આવાસોના મકાનોની રાહ જોતા લોકો માટે ગૂડ ન્યૂઝ, 2000થી વધુ મકાનોનો થશે ડ્રો

Ahmedabad Samay

તલવારથી કેક કાપીને જન્મદિનની જાહેરમાં ઉજવણીનો વીડિયો વાયરલ થયા બાદ રામોલ પોલીસે પાંચ લોકોની અટકાયત કરી

Ahmedabad Samay

ઠક્કરબાપાનગર વિસ્તારમાં જનતાના કામ જોર શોરમાં

Ahmedabad Samay

ભાજપમાં ઉત્તરાયણ પહેલા જિલ્લા-મહાનગરોના નવા પ્રમુખોની નિયુક્તિનો કાર્યક્રમ જાહેર કરાયો

Ahmedabad Samay

નિકોલની ૩૦ વર્ષીય મહિલાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું

Ahmedabad Samay

તૌકતે એ ૪૫ જેટલા લોકોનો જીવ લીધો, હજારો વૃક્ષો ધરાશય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો