February 5, 2026
ગુજરાતધર્મ

અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરાઈ, આજે કરાશે માં ગૌરીની વિશેષ પૂજા

આજ રોજ અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરવામાં આવી હતી જેની આજ રોજ તમામ સમાજ બંધુઓ દ્વારા જ્યાં જ્યાં માં ગૌરીની સ્થાપના કરવામાં આવેલ હોય છે તેમના ઘરે જઈ તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે,

જેમના ઘરે માં ગૌરીની સ્થાપના કરવામાં આવે છે તે ઘરના ગણેશજીને “ગવર ગણપતિ” કહેવામાં આવે છે તેની વિશેષતા એ છે કે આ ગણેશજી પાંચ કાતો સાત દિવસ માટે તિથિ પ્રમાણે સ્થાપિત કરવામાં આવતા હોય છે, માં ગૌરીની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને એક કુટુંબમાં, પરિવારમાં કોઈપણ એકજ સભ્યના ત્યાં તેમની સ્થાપના કરી શકાય છે,

અમદાવાદના ઘણા એવા પરિવાર છે જે વર્ષોથી કુટુંબમાં માં ગવર ગણપતિની ની સ્થપના કરે છે, જેમાં થી સમાજના મુરુડકર પરિવાર, દેવલેકર પરિવાર, ભોજકર પરિવાર, સાવરડેકર પરિવાર, હેલે પરિવાર, પાંચનેકર પરિવાર, યેશવેકર પરિવાર, પંંદિરકર પરિવાર અને અન્ય કુટુંબમાં કુટુંબના સભ્યો એકત્રિત થઈને માં ગૌરીની સ્થાપના કરે છે અને કુટુંબીજનો અને સમાજના લોકો દ્વારા આજના દિવસે માં ગૌરીની અને ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે

Related posts

રાજકોટવાસીઓની મુશ્કેલી વધી સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ જવા અઢી કિમિનું ચક્કરકાપવું પડશે

Ahmedabad Samay

અમદાવાદમાં શાહીબાગમાં રહેતી 15 વર્ષીય સગીરા પર થયો સામુહિક બળાત્કાર

Ahmedabad Samay

ધોરણ ૧૨ અને કોલેજના અંતિમ વર્ષના પરિણામ આવ્યા બાદ ફરી પોલીસ ભરતીના ફોર્મ ભરવાની તક આપવામાં આવશે.

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર ‘વ્યાસ કા તેખાના’ વિસ્તારમાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા કરવાનો અધિકાર આપ્યો

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો