August 13, 2026
ગુજરાતધર્મ

અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરાઈ, આજે કરાશે માં ગૌરીની વિશેષ પૂજા

આજ રોજ અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરવામાં આવી હતી જેની આજ રોજ તમામ સમાજ બંધુઓ દ્વારા જ્યાં જ્યાં માં ગૌરીની સ્થાપના કરવામાં આવેલ હોય છે તેમના ઘરે જઈ તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે,

જેમના ઘરે માં ગૌરીની સ્થાપના કરવામાં આવે છે તે ઘરના ગણેશજીને “ગવર ગણપતિ” કહેવામાં આવે છે તેની વિશેષતા એ છે કે આ ગણેશજી પાંચ કાતો સાત દિવસ માટે તિથિ પ્રમાણે સ્થાપિત કરવામાં આવતા હોય છે, માં ગૌરીની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને એક કુટુંબમાં, પરિવારમાં કોઈપણ એકજ સભ્યના ત્યાં તેમની સ્થાપના કરી શકાય છે,

અમદાવાદના ઘણા એવા પરિવાર છે જે વર્ષોથી કુટુંબમાં માં ગવર ગણપતિની ની સ્થપના કરે છે, જેમાં થી સમાજના મુરુડકર પરિવાર, દેવલેકર પરિવાર, ભોજકર પરિવાર, સાવરડેકર પરિવાર, હેલે પરિવાર, પાંચનેકર પરિવાર, યેશવેકર પરિવાર, પંંદિરકર પરિવાર અને અન્ય કુટુંબમાં કુટુંબના સભ્યો એકત્રિત થઈને માં ગૌરીની સ્થાપના કરે છે અને કુટુંબીજનો અને સમાજના લોકો દ્વારા આજના દિવસે માં ગૌરીની અને ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે

Related posts

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, જાણો સાપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

ભાજપ ઉમેદવાર અમિતભાઈ  શાહે અમદાવાદના નરોડા વિસ્તારમાં જનસભાને સંબોધન કર્યું

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ આજથી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો

Ahmedabad Samay

અંતરીક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ધરતીપર સુરક્ષિત અને વહેલા પરત ફરે તેમાટે માનવ અધિકાર ગ્રુપ દ્વારા સર્વે ધર્મ પ્રાથના સભા યોજવામાં આવી

Ahmedabad Samay

આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ પર્યાવરણ દિન ઉજવવામાં આવ્યું

Ahmedabad Samay

શનિવારથી વરસાદી માહોલની આગાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો