March 12, 2026
મર્ડર
અપરાધ

અઅમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવી દીધા

અમદાવાદમાં કુબેરનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવી દીધા હતા. જેમાં પત્નીનું મોત નીપજ્યું છે જ્યારે સાસુની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ, પ્રેમસંબંધને કારણે ચાર મહિના પહેલાં જ લગ્ન કરનાર પતિ અશોક રાજપૂત પત્ની જયબેનને અવારનવાર માર મારતો હતો.

ગતરોજ અશોકે જયબેન અને તેની માતા શોભનાબેન પર પેટ્રોલ છાંટી આગ લગાડી દીધી હતી અને પોતે ભાગી ગયો હતો. બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોકે, ગંભીર રીતે દાઝી ગયેલી જયબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું,

જ્યારે તેની માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.મેઘાણીનગર પોલીસે અશોક રાજપૂત સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

રાજકોટના બે પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ: હુમલામાં મહિલા સહિત ૬ ઘવાયા

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બેફામ બનેલી કારે ચાર ને કચડ્યા

Ahmedabad Samay

નારોલમાં ૧૧૦ કિલ્લોના ગાંજા સાથે રાણીપના ત્રણ આરોપી ઝડપાયા

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

રોયલ બીચ સિટી ધ ગોવા” પ્લોટીંગ સ્કીમના બિલ્ડર્સ સાથે છેતરપીંડી કરનાર હિમાંશુ પટેલની અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી

Ahmedabad Samay

લુંટ રકમનો ભાગ પાડતા આરોપીને નરોડા પોલીસે ઝડપી લીધા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો