June 22, 2026
ગુજરાત

કારગિલ યુદ્ધ (૧૯૯૯) માં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર વનરાજસિંહ જાડેજાનું ગાંધીનગર ખાતે દુઃખત અવસાન થયું

ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના વતની અને રાષ્ટ્રસેવાને સમર્પિત જીવન જીવનાર નિવૃત્ત કર્નલ વનરાજસિંહ જાડેજ જે ગાંધીનગર ખાતે અવસાન થયું છે. કર્નલ સાહેબના નિધનના સમાચાર મળતા જ પ્રોલ સહિત સમગ્ર પંથકમાં અને સૈન્ય વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

રી.કર્નલ વનરાજસિંહ જાડેજાવનરાજસિંહ જાડેજાએ ભારતીય સેનામાં અંદાજે ૪૨ વર્ષ સુધી દેશની સેવા કરી હતી. તેમનું સૈન્ય યોગદાન અત્યંત વીરતાપૂર્ણ રહ્યું છે. તેમણે રાજપૂતાના રેજિમેટ કારગિલ યુદ્ધ (૧૯૯૯) માં ચાવીરૂપ ભૂમિકા ભજવીને દેશની સરહદોની રક્ષા કરી હતી. આ ઉપરાંત, તેમણે દેશના મહત્ત્વપૂર્ણ ઓપરેશન પૈકીના ઓપરેશનમાં પણ પોતાની ફરજ નિભાવી હતી.

સેનામાં લાંબો સમય દેશનું ગૌરવ વધાર્યા બાદ પણ કર્નલ જાડેજા નિષ્ક્રિય નહોતા રહ્યા. ભલે તેઓ નિવૃત્તિ પછી ગાંધીનગર ખાતે રહેતા હતા,  તેમણે પોતાનું જીવન સતત સમાજ સેવામાં સમર્પિત કર્યું હતું અને યુવાનોને યોગ્ય માર્ગદર્શન તથા પ્રેરણા આપવાનું કાર્ય કર્યું હતું. તેમના નિધનથી પરિવારની સાથે સાથે સમાજે પણ એક આદરણીય અને પ્રેરક વ્યક્તિત્વ ગુમાવ્યું છે.

Related posts

શુક્રવાર ૨૩/૦૪/૨૦૨૧ ના રોજ છે કામદા એકાદશી. જાણો વ્રતની કથા અને ફાયદા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા અમદાવાદ સમય પર

Ahmedabad Samay

રાજપૂત સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યું

Ahmedabad Samay

સ્‍પીડ અને પાવર જેવી પ્રીમિયમ પેટ્રોલ બ્રાન્‍ડના ભાવમાં પ્રતિ લિટર રૂા.૨.૦૯નો વધારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

હોટલમાં નહિ આવે તો કપડા બદલતો વિડીયો વાયરલ કરવાની હવસખોરની ધમકી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો