March 23, 2026
ગુજરાત

કારગિલ યુદ્ધ (૧૯૯૯) માં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર વનરાજસિંહ જાડેજાનું ગાંધીનગર ખાતે દુઃખત અવસાન થયું

ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના વતની અને રાષ્ટ્રસેવાને સમર્પિત જીવન જીવનાર નિવૃત્ત કર્નલ વનરાજસિંહ જાડેજ જે ગાંધીનગર ખાતે અવસાન થયું છે. કર્નલ સાહેબના નિધનના સમાચાર મળતા જ પ્રોલ સહિત સમગ્ર પંથકમાં અને સૈન્ય વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

રી.કર્નલ વનરાજસિંહ જાડેજાવનરાજસિંહ જાડેજાએ ભારતીય સેનામાં અંદાજે ૪૨ વર્ષ સુધી દેશની સેવા કરી હતી. તેમનું સૈન્ય યોગદાન અત્યંત વીરતાપૂર્ણ રહ્યું છે. તેમણે રાજપૂતાના રેજિમેટ કારગિલ યુદ્ધ (૧૯૯૯) માં ચાવીરૂપ ભૂમિકા ભજવીને દેશની સરહદોની રક્ષા કરી હતી. આ ઉપરાંત, તેમણે દેશના મહત્ત્વપૂર્ણ ઓપરેશન પૈકીના ઓપરેશનમાં પણ પોતાની ફરજ નિભાવી હતી.

સેનામાં લાંબો સમય દેશનું ગૌરવ વધાર્યા બાદ પણ કર્નલ જાડેજા નિષ્ક્રિય નહોતા રહ્યા. ભલે તેઓ નિવૃત્તિ પછી ગાંધીનગર ખાતે રહેતા હતા,  તેમણે પોતાનું જીવન સતત સમાજ સેવામાં સમર્પિત કર્યું હતું અને યુવાનોને યોગ્ય માર્ગદર્શન તથા પ્રેરણા આપવાનું કાર્ય કર્યું હતું. તેમના નિધનથી પરિવારની સાથે સાથે સમાજે પણ એક આદરણીય અને પ્રેરક વ્યક્તિત્વ ગુમાવ્યું છે.

Related posts

અમદાવાદ- ચાંદલોડીયામાં નવું ફાયર સ્ટેશન, નવા સ્ટાફ ક્વાર્ટર બનશે, 1007 લાખથી વધુના કામને એએમસીની મંજૂરી

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સમન્સ પાઠવવા મામલે કેજરીવાલ તરફથી સેશન્સમાં અરજી

Ahmedabad Samay

ગુજરાત: 2.5L સિમ રિટેલર્સની ચકાસણી કરવામાં આવશે, સિમના ગેરકાયદેસર વેચાણને રોકવા માટે લેવામાં આવ્યો નિર્ણય

Ahmedabad Samay

અમદાવાદ – AMC ડ્રેનેજ લીકેજનું સમારકામ ભૂલી ગઈ, ઉપર બનાવેલો રોડ તોડવો પડ્યો

Ahmedabad Samay

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા પોતાના પરંપરાગત અને ઐતિહાસિક રૂટ પરથી જ ભક્તિભાવપૂર્વક પસાર થશે

Ahmedabad Samay

કિંજલ દવેને જન્મ દિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો