February 6, 2026
ગુજરાત

કારગિલ યુદ્ધ (૧૯૯૯) માં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર વનરાજસિંહ જાડેજાનું ગાંધીનગર ખાતે દુઃખત અવસાન થયું

ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના વતની અને રાષ્ટ્રસેવાને સમર્પિત જીવન જીવનાર નિવૃત્ત કર્નલ વનરાજસિંહ જાડેજ જે ગાંધીનગર ખાતે અવસાન થયું છે. કર્નલ સાહેબના નિધનના સમાચાર મળતા જ પ્રોલ સહિત સમગ્ર પંથકમાં અને સૈન્ય વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

રી.કર્નલ વનરાજસિંહ જાડેજાવનરાજસિંહ જાડેજાએ ભારતીય સેનામાં અંદાજે ૪૨ વર્ષ સુધી દેશની સેવા કરી હતી. તેમનું સૈન્ય યોગદાન અત્યંત વીરતાપૂર્ણ રહ્યું છે. તેમણે રાજપૂતાના રેજિમેટ કારગિલ યુદ્ધ (૧૯૯૯) માં ચાવીરૂપ ભૂમિકા ભજવીને દેશની સરહદોની રક્ષા કરી હતી. આ ઉપરાંત, તેમણે દેશના મહત્ત્વપૂર્ણ ઓપરેશન પૈકીના ઓપરેશનમાં પણ પોતાની ફરજ નિભાવી હતી.

સેનામાં લાંબો સમય દેશનું ગૌરવ વધાર્યા બાદ પણ કર્નલ જાડેજા નિષ્ક્રિય નહોતા રહ્યા. ભલે તેઓ નિવૃત્તિ પછી ગાંધીનગર ખાતે રહેતા હતા,  તેમણે પોતાનું જીવન સતત સમાજ સેવામાં સમર્પિત કર્યું હતું અને યુવાનોને યોગ્ય માર્ગદર્શન તથા પ્રેરણા આપવાનું કાર્ય કર્યું હતું. તેમના નિધનથી પરિવારની સાથે સાથે સમાજે પણ એક આદરણીય અને પ્રેરક વ્યક્તિત્વ ગુમાવ્યું છે.

Related posts

નિકોલ વિસ્તારમાં આવેલ વિરલ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટનો બનાવ

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટીમાં બિનઅધિકૃત વાહનોને નહીં મળે પ્રવેશ, સ્ટીકર લાગેલું હશે તેને અપાશે પ્રવેશ

Ahmedabad Samay

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન શરૂ કરાયુ

Ahmedabad Samay

નરેશ પટેલે દિલ્હીની ઉડતી મુલાકાત લીધી, ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ થવાના એંધાણ

Ahmedabad Samay

કોંગ્રેસના ૭૦ જેટલા આગેવાનો “આપ”માં જોડાયા

Ahmedabad Samay

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌને ચોંકાવી દે એવી આગાહી કરી,આગામી 03 થી 13 એપ્રિલ સુધી રાજ્યના ઘણાં ભાગમાં વાવાઝોડું ફૂંકાઈ શકે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો