May 7, 2026
અપરાધ

કૃષ્ણનગરમાં ખાણીપીણીના સ્ટોલ પર અસામાજિક તત્વોએ ધારદાર હથિયાર અને લાકડીઓ વડે આંતક મચાવી હુમલો કર્યો

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અહીંના ખાણીપીણીના સ્ટોલ પર અસામાજિક તત્વોએ ધારદાર હથિયાર અને લાકડીઓ વડે આંતક મચાવી હુમલો કર્યો


હતો. અસામાજિક તત્વોના આ હુમલાનો વીડિયો સામે આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બનાવની જાણ થતાં કૃષ્ણનગર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટનામાં અમદાવાદના કૃષ્ણનગર વિસ્તાર માં બેફામ બનેલા લુખ્ખા તત્વોએ જાહેર સ્થળે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એક ખાણી-પીણીના સ્ટોલ પર અસામાજિક તત્વોના એક જૂથે એકાએક આતંક મચાવ્યો હતો. આ તત્વોએ ધારદાર હથિયારો અને લાકડીઓનો ઉપયોગ કરીને સ્ટોલ પર હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી

હુમલાની આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા નજરે પડે છે. આ હુમલાથી વિસ્તારના લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસે તાત્કાલિક સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

પોલીસે વીડિયો ફૂટેજના આધારે હુમલો કરનાર અસામાજિક તત્વોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ખાતરી આપી છે કે આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે અને વિસ્તારમાં શાંતિ જાળવવામાં આવશે.

Related posts

ધોળા દિવસે જવેલર્સમાં લૂંટના પ્રયાસ કરનાર દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા

Ahmedabad Samay

મોરબીના પીપળી નજીક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો, મૃતકના વાલીવારસની શોધખોળ

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

SP સંજય ખરાતે ખાખીને દાગ લગાડનાર ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

Ahmedabad Samay

વડોદરામાં એક સાથે પરિવારના છ સભ્યોએ કરી આત્મહત્યા, ૩ ના મૃત્યુ ૩ સારવાર ગંભીર હાલતમાં

Ahmedabad Samay

બાપુનગરમાં આવેલ ગજાનંદચાલીમાં દિપુ સિંધીના આંતકથી લોકો થયા બેહાલ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો