August 7, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે નીકળશે ભવ્ય શિવ બારાત અને યોજાશે રુદ્ર મહાયજ્ઞ

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે નીકળશે ભવ્ય શિવ બારાત અને યોજાશે રુદ્ર મહાયજ્ઞ

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે મહાશિવરાત્રીના દિવસે શિવ બારાત નું આયોજન કરાશે ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુરે જણાવ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે શિવ બારાત નું આયોજન કરવામાં આવશે . શિવ બારાત માં ભગવાન ભોળાનાથ ની મૂર્તિ સાથે વિવિધ દરબારો યોજાશે ,
ભૂત અને બેતાલ વેશભૂષા સાથે વિવિધ મંડળો , ગરબા ગ્રુપ ,રાજ્ય ની વેશભૂષા ,બેન્ડબાજા , ડીજે લાઇટ અને વિવિધ સરકારી યોજનાઓના ટેબલો સાથે વટવા ની વિકાસ ગાથા ના ટેબલો ને સ્થાન અપાશે.
મોટી સંખ્યા માં કળશ યાત્રીઓ અને 101 કાંવર યાત્રીઓ જોડાશે.શિવ બારાત માં જોડાનાર તમામ ને મંત્રો થી અભિમંત્રિત કરેલ રુદ્રાક્ષ અને રુદ્રાક્ષ માળા નિઃશુલ્ક ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા આપવા માં આવશે.એમણે જણાવ્યું કે શિવરાત્રીના એક દિવસ પહેલા રુદ્ર મહાયજ્ઞ નું આયોજન થશે . શિવ બારાત ના મુખ્ય યજમાન શ્રી મહેશસિંહ કુશવાહ અને શ્રી શ્યામસિંહ ઠાકુર રહેશે…
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહજી એ જણાવ્યું કે શિવ બારાત ના આયોજન માટે કારોબારી બેઠક યોજાઈ હતી. શિવબારાત માં ખૂબજ મોટી સંખ્યા માં શિવ ભક્તો ભાગ લેશે તમામ માટે ભવ્ય ભંડારા નું આયોજન કરવામાં આવશે…

Related posts

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલની ક્રાઇમ બ્રાંચે લીધી કસ્ટડી, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે આ દિવસે અમદાવાદ લવાશે!

admin

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટીની સોમવાર સુધી બંધ

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના કુબેરનગરમાં મોડી રાત્રે થઇ હત્યા, હત્યા કરી આરોપી થયા ફરાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો