February 6, 2026
ગુજરાત

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેન ના પાટા પર સુતા ૧૫ મજુરો આવ્યા ટ્રેનની અડફેટે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેનના પાટા પર સુતેલા પ્રવાસી મજુરો ઉપરથી માલગાડી પસાર થતા ૧૫ જેટલા મજૂરોના મોત નિપજયા,

એક ખાનગી કમ્પનીમાં કામ કરતા મજુરો રેલ્વેના પાટા પર સુઈ ગયા હતા, સવારે વહેલા ૦૬ વાગ્યાનો સમય હોવાના કારણે તમામ લોકો ઊંઘમાં હતા અને કોઈને ગાડીનો ખ્યાલ ન આવ્યો અને ટ્રેન તમામ મજુરો પરથી પસાર થઈ ગઈ.

ઔરંગાબાદના જાલના રેલ્વે સ્ટેશન લાઈન પાસેના ફ્લાયઓવર પાસેના પાટા પર પ્રવાસી શ્રમિકો ઊંઘી રહ્યા હતા. લોકડાઉન ના કારણે ઘણા લોકો અનેક જગ્યાએ ફસાયા છે, પોતાના વતન જવા માટે અમુક લોકો રેલ્વે ટ્રેક નો રસ્તો અપનાવી પોતાના ઘર તરફ  જઈ રહ્યા છે તેજ રીતે આ મજૂરો એ છત્તીસગઢ જવા માટે  રેલ્વે ટ્રેક નો માર્ગ લઇ રવાના થયા હતા અને રાત્રે આરામ કરવા માટે રેલ્વે પાટા પાસે આરામ કરી રહ્યા હતા અને માલગાડી એ ૧૫ જેટલા મજૂરોને અડફેટમાં લીધા,

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એ મૃત ના પરિવાર ને ૦૫-૦૫ લાખની સહાયતા જાહેર કરી.

Related posts

૦૨ વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લોવર શોનું આયોજન થશે

Ahmedabad Samay

નવા નરોડામાં નેતાજી પ્રચારમાં વ્યસ્ત અને ધીમીગતિ કામના કારણે પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાની આઠેય બેઠકો ઉપર ભગવો લહેરાવ્યો

Ahmedabad Samay

ગુલાબી ઠંડીનો સમય ગયો હવે,વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે આ સપ્તાહે તાપમાન ઘણું નીચે જશે

Ahmedabad Samay

સુરત – H3N2ના કેસોમાં વધારો, બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો

Ahmedabad Samay

સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો