June 24, 2026
ગુજરાત

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેન ના પાટા પર સુતા ૧૫ મજુરો આવ્યા ટ્રેનની અડફેટે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેનના પાટા પર સુતેલા પ્રવાસી મજુરો ઉપરથી માલગાડી પસાર થતા ૧૫ જેટલા મજૂરોના મોત નિપજયા,

એક ખાનગી કમ્પનીમાં કામ કરતા મજુરો રેલ્વેના પાટા પર સુઈ ગયા હતા, સવારે વહેલા ૦૬ વાગ્યાનો સમય હોવાના કારણે તમામ લોકો ઊંઘમાં હતા અને કોઈને ગાડીનો ખ્યાલ ન આવ્યો અને ટ્રેન તમામ મજુરો પરથી પસાર થઈ ગઈ.

ઔરંગાબાદના જાલના રેલ્વે સ્ટેશન લાઈન પાસેના ફ્લાયઓવર પાસેના પાટા પર પ્રવાસી શ્રમિકો ઊંઘી રહ્યા હતા. લોકડાઉન ના કારણે ઘણા લોકો અનેક જગ્યાએ ફસાયા છે, પોતાના વતન જવા માટે અમુક લોકો રેલ્વે ટ્રેક નો રસ્તો અપનાવી પોતાના ઘર તરફ  જઈ રહ્યા છે તેજ રીતે આ મજૂરો એ છત્તીસગઢ જવા માટે  રેલ્વે ટ્રેક નો માર્ગ લઇ રવાના થયા હતા અને રાત્રે આરામ કરવા માટે રેલ્વે પાટા પાસે આરામ કરી રહ્યા હતા અને માલગાડી એ ૧૫ જેટલા મજૂરોને અડફેટમાં લીધા,

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એ મૃત ના પરિવાર ને ૦૫-૦૫ લાખની સહાયતા જાહેર કરી.

Related posts

ગંગા મૈયા ગૌ શાળા દ્વારા રાહત દરે આયુર્વેદિક દવાખાનું શરૂ કરાયું

Ahmedabad Samay

જીગ્નેશ મેવાણીને હજુ હવે ખબર પડી કે ગુજરાતમાં દારૂના અડ્ડા ચાલે છે, આંદોલથી દારૂ બંધ થશે કે બંધ બારણે વહીવટ ?

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના રોકેટ ગતિએ,અમદાવાદીઓ ઝપેટમાંન આવી જતા, સાવચેતી રાખો

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

મુંબઈમાં વરસાદ બાદ અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના

Ahmedabad Samay

રાજીવ સાવતનું કોરોનાના કારણે નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો