September 8, 2026
ગુજરાત

24/07/2026 શુક્રવારના રોજ જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે

રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય બનતા અમદાવાદ સહિત  ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે થી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સંજોગોમાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આજે તા. 23/07/2026 ના રોજ સત્તાવાર પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરવામાં આવી છે કે, તા. 24/07/2026 શુક્રવારના રોજ જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે.

જિલ્લા કલેક્ટરશ્રીની મળેલ સૂચના મુજબ DEO કચેરીએ નીચેની તમામ સંસ્થાઓમાં રજા જાહેર કરી છે.શહેરી વિસ્તાર સુરત મહાનગરપાલિકા અને જિલ્લાની તમામ નગરપાલિકા હેઠળની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા,ગ્રામ્ય વિસ્તાર.જિલ્લાની તમામ ગ્રામ્ય વિસ્તારની સરકારી અને ખાનગી શાળાઓ,આંગણવાડી કેન્દ્રો જિલ્લાની તમામ આંગણવાડીઓ.

રજા માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ શાળામાં ફરજ બજાવતા તમામ શિક્ષકો અને કર્મચારીઓ માટે પણ લાગુ રહેશે.

પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે વધુ વરસાદની શક્યતાને કારણે રસ્તાઓ પર પાણી ભરાવા, ઝાડ પડવા અને અન્ય અકસ્માતોનો ભય રહે છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવામાં મુશ્કેલી પડે અને સલામતી જોખમાય તેથી આ પગલું ભરવામાં આવ્યું છે

આ પરિપત્ર પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની સહીઓ કરવામાં આવી છે. તમામ શાળાના સંચાલકો અને આચાર્યશ્રીઓને આ નિર્ણયનો ચુસ્તપણે અમલ કરવા સૂચના આપવામાં આવી છે.

વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે વરસાદ દરમિયાન બાળકોને ઘરમાં જ રાખે અને બિનજરૂરી બહાર ન નીકળવા દે

Related posts

અમદાવાદ – આંખ આવવાના કેસોમાં વધારો, સિવિલમાં જ રોજના 298 કેસો, અર્બન હેલ્થ સેન્ટર પર 1600

Ahmedabad Samay

અમદાવાદ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેશ્વરી સેવા સમિતિ દ્વારા આયોજિત સમૃદ્ધિ ટ્રેડફેર 2023નું ઉદ્ઘાટન

Ahmedabad Samay

તપોવન ખાતે ગ્લેશિયરમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ, બચાવ, રાહત  માટે પ્રબંધ કરાયું

Ahmedabad Samay

અક્ષરધામ પર થયેલ આંતકી હુમલપર ઓટીટી ફિલ્મ “સ્ટેટ ઓફ સીઝ: ટેમ્પલ એટેક” થશે રિલીઝ

Ahmedabad Samay

હાર્દિક પટેલ દ્વારા જનતા ને અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ને સંબોધન

Ahmedabad Samay

સાવધાન કોરોના કેસ વધ્યા, શું નેતાજીના ચૂંટણી પ્રચારના કારણે કોરોના ધીમી ગતિએ વધી રહ્યું છે ? મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરી લોકડાઉન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો