February 5, 2026
ગુજરાતદેશ

ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કોરોના ભારત માંથી સમાપ્ત થઇ જશે.

ભારતમાં કોરોના વાયરસ મહામારી પોતાના ઉચ્ચ સ્તરમાંથી પસાર થઈ ચુકી છે. સરકાર તરફથી બનાવવામાં આવેલી વૈજ્ઞાનિકોની એક સમિતિનું આ માનવુ છે. પેનલ પ્રમાણે, કોરોના મહામારી ફેબ્રુઆરી ૨૦૨૧મા સમાપ્ત થવાની સંભાવના છે. તેમના અનુસાર, ભારતમાં કોરોનાના ૧૦.૬ મિલિયન એટલે કે ૧ કરોડ ૬ લાખથી વધુ કેસ થશે નહીં. હાલ ભારતમાં કોરોનાના કુલ ૭૫ લાખથી વધુ કેસ  છે. એક અખબારને કમિટીએ કહ્યુ કે, વાયરસથી બચાવને લઈને કરવામાં આવી રહેલા ઉપાયને યથાવત રાખવા જોઈએ. સમિતિએ મહામારીના સ્ટેન્ડને મેચ કરવા માટે કમ્પ્યૂટર મોડલનો ઉપયોગ કર્યો છે. સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજયરાઘવને આ સમિતિની રચના કરી હતી. આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર એમ વિદ્યાસાગર તેમના પ્રમુખ છે.

સમિતિ પ્રમાણે જો ભારતે માર્ચમાં લૉકડાઉન ન લગાવ્યું હોત તો દેશભરમાં ૨૫ લાખથી વધુના મોત થયા હોત. અત્યાર સુધી આ મહામારીને કારણે ૧.૧૪ લાખ દર્દીઓના મોત થયા છે. નીતિ આયોગના સભ્ય અને કોવિડ એક્સપર્ટ પેનલના ચીફ ડો વીકે પોલે કહ્યુ પાછલા ત્રણ સપ્તાહમાં નવા કેસ અને મોતોની સંખ્યા ઘટી છે પરંતુ અમે શિયાળાના હવામાનમાં ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેરની સંભાવનાનો ઇનકાર ન કરી શકીએ. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના  ૬૧,૮૭૧  નવા કેસ સામે આવ્યા છે. કુલ કેસની સંખ્યા ૭૪,૯૪,૫૫૧ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા કલ્યાણ મંત્રાલય અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૧૦૩૩ મૃત્યુ થયા છે. ત્યારબાદ કુલ મૃત્યુઆંક  ૧,૧૪,૦૩૧ થઈ ગયો છે. દેશભરમાં રિકવરી રેટ વધીને ૮૮.૦૩ ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુદર ૧.૫૩ ટકા છે

Related posts

કોર્પોરેશનની સ્કૂલના વિદ્યાર્થીઓએ હેલિકોપ્ટરમાં બેસીને હેરીટેજ સિટી અમદાવાદનો નજારો માણ્યો

Ahmedabad Samay

નરોડાના ધારાસભ્ય બલરામ થવાણી કોરોના પોઝિટિવ

Ahmedabad Samay

જુનિયર મહેમૂદનું થયું નિઃધન,જુનિયર મહમૂદ પ્રેમનો ખજાનો હતો: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

રિલીફ રોડ પર આવેલા આકાર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રેડીમેઈડ ગારમેન્ટ બનાવતી દુકાનમાં લાગી આગ

Ahmedabad Samay

શેલબી હોસ્પિટલમાં લીવર સિરોસિસથી પીડાતી ગર્ભવતી મહિલાની સફળ સામાન્ય પ્રસ્તુતિ કરાવાઇ

Ahmedabad Samay

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે દેશભરના સ્વચ્છ શહેરોમાં બીજો ક્રમ મેળવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો