June 22, 2026
ગુજરાતરાજકારણ

દિનેશ શર્માના રાજીનામાં પાછળના કારણો પરથી પડદો ઊંચકાયો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ રાજીનામુ આપી દેતાં છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલતાં વિવાદનો અંત આવ્યો છે. આ રાજીનામા પાછળના કારણો પરથી પડદો ઊંચકાયો છે.રાજયસભાની ચૂંટણી વખતે ધારાસભ્યો શૈલેષ પરમાર તથા હિંમતસિંહ પટેલને આપેલું વચન કોંગ્રેસ હાઇકમાન્ડે પાળ્યું છે. સૂત્રો પ્રમાણે જો તેઓએ આ વચન ના પાળ્યું હોત તો ૦૮ ધારાસભ્યોના બદલે ૧૦ ધારાસભ્યોના રાજીનામાં પડયાં હોત છે. આ વચન ભાગરુપે જ કોંગ્રેસ હાઇ કમાન્ડે બંને ધારાસભ્યોની વાત માનીને દિનેશ શર્માનું રાજીનામું સ્વીકારી લીધું છે.

આ અંગે ધારાસભ્ય હિંમતસિંહ પટેલે આ વાતનું ખંડન કરતાં કહ્યું હતું કે, હું આ બાબતમાં કાંઇ જાણતો નથી, કહેવા પણ માંગતો નથી. આ તો પાર્ટીની પ્રક્રિયા છે પ્રદેશ પ્રમુખ સંગઠનના વડા છે. અમે કોઇ રાજયસભા ચૂંટણી સમયે રાજીનામાંની વાત કરી નથી. અમે પક્ષમાં વફાદાર રહ્યા છીએ. અમે કોઇ આવી વાત કરી નથી. અમે રાજીનામાંની પણ માંગ કરી નથી. બધી ખોટી વાત છે. બધાં ખોટી વાત ચલાવે છે. કોર્પોરેશનનો ઇસ્યુ કોર્પોરેશન કક્ષાએ ચાલે છે. અમારું નામ કેમ ચાલે છે તે જ સમજાતું નથી.

વિરોધ પક્ષના નેતા પદેથી દિનેશ શર્માએ રાજીનામું આપ્યા બાદ  ખાલી પડેલા આ પદ પર બહેરામપુરા વોર્ડના કાઉન્સિલર કમળાબેન ચાવડા, અમરાઇવાડીના કાઉન્સિલર બળદેવભાઈ દેસાઇ તથા વિરાટનગર વોર્ડના કાઉન્સિલર રણજીતસીંહ બારડના નામો ની ચર્ચા ચાલી રહી છે.

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના ઉગ્ર વિરોધ બાદ “મારા સ્કૂલની લવસ્ટોરી” વીડિયો ને યુટ્યુબ પરથી હટાવી લેવામા આવ્યું

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ પર વ્યાજ માફીની યોજના બહાર પાડી

Ahmedabad Samay

નરોડા GIDCમાં આગ લાગતાં એક કર્મચારીનું દાઝી જવાથી થયું મોત

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ૪ સ્નેહમિલન અને વિદ્યાથી સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

આખરે અમદાવાદનો ભ્રષ્ટાચારી બ્રિજ હાટકેશ્વર બ્રિજને તોડવાની મૂહર્ત આવ્યું છે. હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ શરુ કરાયું

Ahmedabad Samay

આજનો કોરોના અપડેટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો