June 22, 2026
ગુજરાતરાજકારણ

દિનેશ શર્માના રાજીનામાં પાછળના કારણો પરથી પડદો ઊંચકાયો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ રાજીનામુ આપી દેતાં છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલતાં વિવાદનો અંત આવ્યો છે. આ રાજીનામા પાછળના કારણો પરથી પડદો ઊંચકાયો છે.રાજયસભાની ચૂંટણી વખતે ધારાસભ્યો શૈલેષ પરમાર તથા હિંમતસિંહ પટેલને આપેલું વચન કોંગ્રેસ હાઇકમાન્ડે પાળ્યું છે. સૂત્રો પ્રમાણે જો તેઓએ આ વચન ના પાળ્યું હોત તો ૦૮ ધારાસભ્યોના બદલે ૧૦ ધારાસભ્યોના રાજીનામાં પડયાં હોત છે. આ વચન ભાગરુપે જ કોંગ્રેસ હાઇ કમાન્ડે બંને ધારાસભ્યોની વાત માનીને દિનેશ શર્માનું રાજીનામું સ્વીકારી લીધું છે.

આ અંગે ધારાસભ્ય હિંમતસિંહ પટેલે આ વાતનું ખંડન કરતાં કહ્યું હતું કે, હું આ બાબતમાં કાંઇ જાણતો નથી, કહેવા પણ માંગતો નથી. આ તો પાર્ટીની પ્રક્રિયા છે પ્રદેશ પ્રમુખ સંગઠનના વડા છે. અમે કોઇ રાજયસભા ચૂંટણી સમયે રાજીનામાંની વાત કરી નથી. અમે પક્ષમાં વફાદાર રહ્યા છીએ. અમે કોઇ આવી વાત કરી નથી. અમે રાજીનામાંની પણ માંગ કરી નથી. બધી ખોટી વાત છે. બધાં ખોટી વાત ચલાવે છે. કોર્પોરેશનનો ઇસ્યુ કોર્પોરેશન કક્ષાએ ચાલે છે. અમારું નામ કેમ ચાલે છે તે જ સમજાતું નથી.

વિરોધ પક્ષના નેતા પદેથી દિનેશ શર્માએ રાજીનામું આપ્યા બાદ  ખાલી પડેલા આ પદ પર બહેરામપુરા વોર્ડના કાઉન્સિલર કમળાબેન ચાવડા, અમરાઇવાડીના કાઉન્સિલર બળદેવભાઈ દેસાઇ તથા વિરાટનગર વોર્ડના કાઉન્સિલર રણજીતસીંહ બારડના નામો ની ચર્ચા ચાલી રહી છે.

Related posts

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સભ્યો મરાઠી પહેરવેશમાં પહોંચ્યા છાવા ફિલ્મ નિહાળવા

Ahmedabad Samay

મહિલા ઉન્નતિ સંસ્થા ગુજરાત પ્રદેશની ટીમે દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ખાસ કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

PSI અને LRDની ભરતીને લઇ  કોલ લેટર જાહેર, યુવાનો તૈયારીઓમાં જુટી ગયા

Ahmedabad Samay

ગુલાબી ઠંડીનો સમય ગયો હવે,વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે આ સપ્તાહે તાપમાન ઘણું નીચે જશે

Ahmedabad Samay

હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી, અડધો દેશ પાણી વિના સૂકોભઠ્ઠ બનશે તો અડધો દેશ પૂરના પાણીમાં ડૂબશે

Ahmedabad Samay

NEWS UPDATE @1PM

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો