March 25, 2026
ગુજરાતરાજકારણ

કોંગ્રેસના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા શ્રી અહેમદ પટેલનું નિધન

કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના રાજયસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૂગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અવસાન થયું છે. ૭૧ વર્ષીય અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને ત્યારથી તેમની સ્થિતિ સતત વણસી રહી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, તેમના શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરી દેતા આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

એક ટ્વીટમાં તેમના દીકરા ફૈઝલ શેખે અહેમદ પટેલ બુધવારે સવારે ૩.૩૦ કલાકે અવસાન પામ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે દિગવંત નેતાને શ્રદ્ઘાંજલિ આપવા માટે કોવિડ પ્રોટોકોલ અનુસાર લોકોને મોટી સંખ્યામાં ભેગા ના થવા માટે પણ અપીલ કરી હતી. અહેમદ પટેલ મૂળ ભરુચના છે, અને તેઓ ભરુચ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ પણ રહી ચૂકયા છે.

પીએમ મોદીએ સ્વર્ગીય નેતાને શ્રદ્ઘાંજલિ આપતા જણાવ્યું હતું કે હું તેમના અવસાનથી દુઃખી છું. તેમણે જાહેરજીવનમાં વર્ષો વિતાવ્યા, અને સમાજની સેવા કરી. તેઓ પોતાની વિચક્ષણ બુદ્ઘિ માટે જાણીતા હતા અને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે તેમણે નીભાવેલી ભૂમિકા માટે તેમને યાદ રખાશે.

Related posts

કરણી સેના રાજ શેખાવતે ફરી એકવાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવાની માંગનો પુનરોચ્ચાર કર્યો, જે એન્કાઉન્ટર કરશે તેને ૧ કરોડ આપવાની જાહેરાત કરી

Ahmedabad Samay

નરેન્દ્રભાઇ મોદીએ ત્રીજીવાર પીએમ પદના શપથ લીધા

Ahmedabad Samay

તરછોડાયેલા સ્મિતના પિતાની થઇ ઓળખ,પોલીસને ૨૦ કલાકે મળી મોટી સફળતા

Ahmedabad Samay

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

Ahmedabad Samay

ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડના મહારાજા ખેતસિંહ ખેંગારજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ,તમામ પાર્ટીએ લગાવ્યો એડીચોટીનું જોર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો