June 24, 2026
અપરાધગુજરાત

મેઘાણીનગરમાં યુવતીની હત્યાનો મામલો ઉકેલાયો

30 તારીખના રોજ મેઘાણીનગરમાં આવેલ રેલ્વે ફાટક પાસે એક યુવતીનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈને મેઘાણીનગરમાં ચર્ચા નો વિષય બન્યો હતો.

J. P. Chauhan
Meghaningar P.I

મેઘાણીનગર ના પી.આઇ. જે.પી.ચૌહાણ એ આ ઘટનાની તપાસ હાથધરી અને ચક્રોગતિમાન કરી આ કેસ ઉકેલતા તપાસમાં જાણવા મળેલ કે યુવતીએ પહેલા આત્મહત્યા કરી ત્યારબાદ તેના પિતાએજ તેને સળગાવી.                                    યુવતીનો યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી પરિવારમાં લગ્નની રજુઆત કરી હતી પરંતુ પરિવાર ન માનતા બાજુના રૂમમાં જઇ દુપટ્ટા વડે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની પરિવાર ને જાણ થતાં તેને છુપવવા માટે યુવતીના પિતા અને અન્ય પરિવાર જને યુવતીને કોથળામાં ભરી મેઘાણીનગર માં આવેલ સાંઇબાબા સોસાયટીના પાછળના ભાગમાં રેલ્વે ફાટક પર બાઈકનું પેટ્રોલ કાઢી મૃત્યુ યુવતીને સળગાવી દીધી હતી. હાલ યુવતીના પિતા અને તેમનો સાથ આપનાર સાગરીતની ધરપકડ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

Related posts

રામોલમાં  અસામાજીક તત્વોએ હાથમાં તલવાર અને ડંડા જેવા હથિયારો સાથે આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી છે

Ahmedabad Samay

વટવામાંથી ખાનગી બ્રાન્ડના શરબતના ડુપ્લીકેટ પાઉચ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ

Ahmedabad Samay

કોરોનાના વધતા કહેરને રોકવા વેપારીઓ દ્વારા વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં

Ahmedabad Samay

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં

Ahmedabad Samay

નિકોલ ખાતે રીએજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેમરી ટેકનીક વર્કશોપ નું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં વધુ ૧૨ હોસ્પિટલ ને કોવિડ-૧૯ જાહેર કરાઇ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો