January 24, 2026
ગુજરાતઅપરાધ

નરોડા વિસ્તારમાં આવેલી આત્મિય હોસ્પિટલ થયું સીલ, હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવતા

અમદાવાદ કોર્પોરેશન ઉત્તર ઝોનના નરોડા વિસ્તારમાં આવેલી આત્મિય હોસ્પિટલ  કોરોનાના દર્દી દાખલ કરવામાં આવે છે. તે પ્રકારની માહિતી મળતા એએમસી આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે અનુસંધાને આસી. પ્રોફેસર દ્વારા તે સમય દરમિયાન કુલ 13 દર્દી દાખલ હોવાનું જણાવેલું. તેમજ હોસ્પિટલને એએમસી દ્વારા કોવિડ -19 હોસ્પિટલ તરીકે ડેઝીગ્નેટ કરવામાં આવેલા ન હોવા છતા દર્દીઓને હાઇ રીઝોલ્યુશન કોમ્પ્યુટરાઇઝ ટોમોગ્રાફિ ટેસ્ટના આધારે દાખલ કરતા પુરાવા મળી આવેલ.

તેમજ જે તે દર્દી ટ્રીટમેન્ટ શીટ પર ચકાસણી કરતા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન આપવું સ્પષ્ટ જણાવેલ હતું. તેમજ હોસ્પિટલને જે ફોર્મ સી આપવામાં આવેલું તેમાં 6 બેડ સુધીની માન્યતા આપવામાં આવેલી છે. તેમ છતા હોસ્પિટલ દ્વારા ફોર્મ સીમાં નોંધણી કરવામાં આવેલા બેડની ક્ષમતા કરતા વધુ બેડ ઉપર દર્દીઓને દાખલ કરવામાં આવેલ હતા . અમદાવાદ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી કરતા કલીનીકને સીલ કરવામાં આવેલ છે. તેમજ પોલીસ કાર્યવાહીની પણ હાથ ધરેલ છે.

Related posts

કાલે બપોર બાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં “ નિસર્ગ ” વાવાઝોડા ની અસર દેખાવા લાગશે.

Ahmedabad Samay

કુબેરનગર વિસ્તારમાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશય થતા ગીતાબા ચાવડાએ તુરંત સમારકામ ચાલુ કરાયું

Ahmedabad Samay

“રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ” નું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી દિલથી સલામ છે પોલીસ તંત્ર અને સ્વાસ્થ્ય કર્મચારીઓ ને

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અમદાવાદ શહેરના પદાધિકારીઓ ની નિયુક્તિ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો