June 23, 2026
ગુજરાતઅપરાધ

નરોડા વિસ્તારમાં આવેલી આત્મિય હોસ્પિટલ થયું સીલ, હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવતા

અમદાવાદ કોર્પોરેશન ઉત્તર ઝોનના નરોડા વિસ્તારમાં આવેલી આત્મિય હોસ્પિટલ  કોરોનાના દર્દી દાખલ કરવામાં આવે છે. તે પ્રકારની માહિતી મળતા એએમસી આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે અનુસંધાને આસી. પ્રોફેસર દ્વારા તે સમય દરમિયાન કુલ 13 દર્દી દાખલ હોવાનું જણાવેલું. તેમજ હોસ્પિટલને એએમસી દ્વારા કોવિડ -19 હોસ્પિટલ તરીકે ડેઝીગ્નેટ કરવામાં આવેલા ન હોવા છતા દર્દીઓને હાઇ રીઝોલ્યુશન કોમ્પ્યુટરાઇઝ ટોમોગ્રાફિ ટેસ્ટના આધારે દાખલ કરતા પુરાવા મળી આવેલ.

તેમજ જે તે દર્દી ટ્રીટમેન્ટ શીટ પર ચકાસણી કરતા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન આપવું સ્પષ્ટ જણાવેલ હતું. તેમજ હોસ્પિટલને જે ફોર્મ સી આપવામાં આવેલું તેમાં 6 બેડ સુધીની માન્યતા આપવામાં આવેલી છે. તેમ છતા હોસ્પિટલ દ્વારા ફોર્મ સીમાં નોંધણી કરવામાં આવેલા બેડની ક્ષમતા કરતા વધુ બેડ ઉપર દર્દીઓને દાખલ કરવામાં આવેલ હતા . અમદાવાદ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી કરતા કલીનીકને સીલ કરવામાં આવેલ છે. તેમજ પોલીસ કાર્યવાહીની પણ હાથ ધરેલ છે.

Related posts

કાલુપુર બ્રિજ બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્ય માટે 22 મે થી 25 મે સુધી રાત્રે વાહન વ્યવહાર માટે બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

Ahmedabad Samay

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

Ahmedabad Samay

AMC સંચાલિત હોસ્પિટલોમાં વેક્સીન ન લેનારને પ્રવેશ નહીં અપાય

Ahmedabad Samay

ઠેબી ડેમથી કામનાથ મહાદેવ મંદિર સુધી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને ચર્ચા

Ahmedabad Samay

ધૈર્યરાજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ૧૬ કરોડનું ઈન્જેકશન આપવામાં આવ્યું

Ahmedabad Samay

ઇંડા અને નોનવેજની લારીઓ વાળા પર સરકારી બાબુઓ ની તવાઇમાં દેશી દારૂના અડ્ડા કડક કાયદા હોવા છતા કેમ બાકાત ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો