May 9, 2026
ગુજરાતઅપરાધ

બાપુનગરના શાસ્ત્રીનગરમાં ગત બપોરે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ

બાપુનગરમા ભક્તિનગરના નેળિયા પાસે આમ્રપાલી ફ્લેટ પાસે શાસ્ત્રીનગરમાં ગત બપોરે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થતા પથ્થરમારો, તલવારો,ધારીયા અને પાઈપથી હુમલો થયો હતો.બનાવ અંગે સુરેશ બાબુભાઇએ 13 જણા વિરૂધ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ શુકન બંગલો પાસે શાકભાજીની લારી બાબતે ફરિયાદી સુરેશના ભાઈ વિજયને વિનોદ નાનજીના પુત્ર અનિલ સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતે ફરિયાદી સુરેશના સગા સબંધીઓ વાતચીત કરવા ભેગા થયા હતા. તે સમયે અનિલના પક્ષના લોકોએ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. આ બાબતે સુરેશ બાબુ સહિતના લોકોએ સામાવાળાને અપશબ્દો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાયા હતા.

સુરેશ અને તેના સગા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સુરેશ, તેની બહેન અને ભત્રીજાને ગંભીર ઇજાઓ થઈ હતી. બનાવને પગલે બાપુનગર પોલીસ સ્થળ પર પહોંચતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાપુનગર પોલીસે આ અંગે સુરેશ બાબુની ફરિયાદ આધારે વિનોદ નાનજી સહિત 13 આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે દેશી ગાયના છાણાથી વૈદિક હોળી પ્રગટાવી

Ahmedabad Samay

પેટ્રોલના ભાવમાં ૧૦ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૧૨.૫૦ રૂપિયાનો વધારો વાળો ફેક પત્ર વાયરલ, જૂનો ભાવ યથાવત

Ahmedabad Samay

અમદાવાદના બોપલ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ,કુલ ૮૦ કોરોના પોઝિટવ કેસ એકસાથે

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓ સાથે થઇ વર્લ્ડ રોઝ ડેની ઉજવણી કરાઇ

Ahmedabad Samay

ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર.

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસની સમય સુચકતાએ એક વ્યક્તિનો જીવ બચાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો