May 7, 2026
ગુજરાતઅપરાધ

બાપુનગરના શાસ્ત્રીનગરમાં ગત બપોરે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ

બાપુનગરમા ભક્તિનગરના નેળિયા પાસે આમ્રપાલી ફ્લેટ પાસે શાસ્ત્રીનગરમાં ગત બપોરે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થતા પથ્થરમારો, તલવારો,ધારીયા અને પાઈપથી હુમલો થયો હતો.બનાવ અંગે સુરેશ બાબુભાઇએ 13 જણા વિરૂધ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ શુકન બંગલો પાસે શાકભાજીની લારી બાબતે ફરિયાદી સુરેશના ભાઈ વિજયને વિનોદ નાનજીના પુત્ર અનિલ સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતે ફરિયાદી સુરેશના સગા સબંધીઓ વાતચીત કરવા ભેગા થયા હતા. તે સમયે અનિલના પક્ષના લોકોએ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. આ બાબતે સુરેશ બાબુ સહિતના લોકોએ સામાવાળાને અપશબ્દો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાયા હતા.

સુરેશ અને તેના સગા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સુરેશ, તેની બહેન અને ભત્રીજાને ગંભીર ઇજાઓ થઈ હતી. બનાવને પગલે બાપુનગર પોલીસ સ્થળ પર પહોંચતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાપુનગર પોલીસે આ અંગે સુરેશ બાબુની ફરિયાદ આધારે વિનોદ નાનજી સહિત 13 આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

અસારવા વોર્ડમાં સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન નું કામ શરૂ

Ahmedabad Samay

અમદાવાદ – ગંદકી, સ્ટ્રીટલાઈટ, સુવિધાઓનું વિસ્તરણ, વિધવા સહાય અને વૃદ્ધ પેંશન વિષયક ૨૩ જેટલા પ્રશ્નો મુદ્દે ચર્ચા બાદ નિરાકરણ

Ahmedabad Samay

અમદાવાદ રેલવે સ્ટેશને 16 માળની ઈમારત બનશે. સરસપુર તરફ બની રહેલ બુલેટ ટ્રેનનુ સ્ટેશન આ રેલવે સ્ટેશનનો ભાગ હશે

Ahmedabad Samay

અમદાવાદથી કેવડીયા વચ્ચેની સી- પ્લેન સેવા દિવાળી પૂર્વે ફરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા

Ahmedabad Samay

રાજકોટમાં પઠાણી ઉઘરાણીનાં ત્રાસથી હરી વેપારીને કરી આત્મહત્યા: નરાધમોને સજા ન મળે ત્યાં સુધી પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

Ahmedabad Samay

અમદાવાદ: ભૂમાફિયાઓ સામે સરકારની લાલ આંખ, થલતેજમાં 30 વર્ષથી થયેલા ગેરકાયદેસરના દબાણ દૂર કરાયા!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો