March 27, 2026
અપરાધગુજરાત

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં નજીવી બાબતમાં થયેલા ઝઘડામાં પહેલા પાડોશી સામે ફરિયાદ નોંધાવી હતી, આંબાવાડી વિસ્તારમાં રહેતા સાવિત્રીબેન ભીલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેમના બ્લોકની સામે રહેતા લક્ષ્મણભાઈ સાથે તેમને સામાન્ય બોલાચાલી થઈ હતી. આ મામલે તેઓએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. જે બાબતે સમાધાનની વાતચીત ચાલી રહી હતી પરંતુ લક્ષ્મણજીએ સમાધાન કરવાની ના પાડી દીધી હતી. જે બાદમાં તેઓ ગાળો બોલવા લાગ્યા હતા. સાવિત્રીબેને નીચે જઈને તેમને આવું ન કરવા માટે કહેતા લક્ષ્મણભાઈ અને તેમના ભત્રીજા ઉશ્કેરાઈ ગયા હતા અને સાવિત્રીબેનના સંબંધીને હાથના ભાગે પાઈપનો ફટકો માર્યો હતો. આટલું જ નહીં, લક્ષ્મણભાઈની દીકરીએ સાવિત્રીબેનના વાળ પકડીને તેમને નીચે પાડી દીધા હતા. સાવિત્રીબેન ઊભા થવા જાય તે પહેલા જ લક્ષ્મણભાઈએ ક્યાંથી તલવાર લઈને તેમને મોઢાના ભાગે ઘા ઝીંકી દીધો હતો. જેથી સાવિત્રીબેન લોહીલુહાણ થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ફરિયાદીને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અહીં સાવિત્રીબેનને ૮૮ ટાંકા લેવા પડ્યાં હતાં. આ દરમિયાન કનુભાઈ નામના એક વ્યક્તિ પણ બંને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા, તેમને કલ્પેશ ઉર્ફે દપ્પા એ ચપ્પાનો એક ઘા માર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી છે.

Related posts

મહારાષ્‍ટ્રના ચુંટણી પરિણામ પછી ગુજરાતમાં ફેરફારોની શકયતા પ્રબળ બની, સરકારની કામગીરીને પ્રજાની નજરમાં ઉપસાવવા પાર્ટીના મોભીઓ અને સંઘ દ્વારા ચકાસણી શરૂ થઇ

Ahmedabad Samay

રાજ્યમાં ૧૬ જેટલા પી.આઇ ની બદલી કરાઈ

Ahmedabad Samay

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

Ahmedabad Samay

પરમ પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

આંબલી-બોપલ રોડ પર વધુ એક નબીરાએ પાંચ થી સાત જેટલા વાહનો હડફેટે લઇ આતંક મચાવ્યો, પત્ની દ્વારા પતિનો લૂલો બચાવ કરવામાં આવ્યો

Ahmedabad Samay

લોકડાઉન ૩.૦ ૪ મેં થી લાગુ, ૩.૦માં ઝોન વાઇઝ છુટ અપાશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો