June 27, 2026
અપરાધગુજરાત

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં નજીવી બાબતમાં થયેલા ઝઘડામાં પહેલા પાડોશી સામે ફરિયાદ નોંધાવી હતી, આંબાવાડી વિસ્તારમાં રહેતા સાવિત્રીબેન ભીલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેમના બ્લોકની સામે રહેતા લક્ષ્મણભાઈ સાથે તેમને સામાન્ય બોલાચાલી થઈ હતી. આ મામલે તેઓએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. જે બાબતે સમાધાનની વાતચીત ચાલી રહી હતી પરંતુ લક્ષ્મણજીએ સમાધાન કરવાની ના પાડી દીધી હતી. જે બાદમાં તેઓ ગાળો બોલવા લાગ્યા હતા. સાવિત્રીબેને નીચે જઈને તેમને આવું ન કરવા માટે કહેતા લક્ષ્મણભાઈ અને તેમના ભત્રીજા ઉશ્કેરાઈ ગયા હતા અને સાવિત્રીબેનના સંબંધીને હાથના ભાગે પાઈપનો ફટકો માર્યો હતો. આટલું જ નહીં, લક્ષ્મણભાઈની દીકરીએ સાવિત્રીબેનના વાળ પકડીને તેમને નીચે પાડી દીધા હતા. સાવિત્રીબેન ઊભા થવા જાય તે પહેલા જ લક્ષ્મણભાઈએ ક્યાંથી તલવાર લઈને તેમને મોઢાના ભાગે ઘા ઝીંકી દીધો હતો. જેથી સાવિત્રીબેન લોહીલુહાણ થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ફરિયાદીને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અહીં સાવિત્રીબેનને ૮૮ ટાંકા લેવા પડ્યાં હતાં. આ દરમિયાન કનુભાઈ નામના એક વ્યક્તિ પણ બંને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા, તેમને કલ્પેશ ઉર્ફે દપ્પા એ ચપ્પાનો એક ઘા માર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી છે.

Related posts

ગુજરાત સરકારે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભાવમાં મોટો ઘટાડો કર્યો, હવે ૪૦૦રૂ. માં થશે ટેસ્ટ

Ahmedabad Samay

ઇલેક્શન બાદ ૧ થી ૫ ધોરણના વર્ગો શરૂ

Ahmedabad Samay

૦૧ એપ્રિલ પહેલા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક નહિ કરો તો ભારે મુશ્કેલી પડશે

Ahmedabad Samay

અત્યાર સુધીમાં 84 ટકા કોલલેટર થયા ડાઉનલોડ, જાણો કેટલા ભરાયા સંમતિ પત્ર

Ahmedabad Samay

અટલ બ્રિજની સફળતાને જોતા શહેરમાં 130 વર્ષ જૂના એલિસ બ્રિજને ટૂરિસ્ટ સ્પોટ બનાવાશે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચએ તાંડવ વેબ સિરીઝ સામે કરી લાલઆંખ,સૈફઅલી ખાન નું પૂતળા દહન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો