સરકારે દિવાળીના જેમ ઉત્તરાયણ ઉજ્જવવાની પરવાનગી આપીને સારું કામ તો કર્યું છે પણ એના લીધે દિવાળી જેવી કોરોના પાર્ટ ૦૩ ન આવી જ્યાં તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
ઠેર ઠેર પતંગની દુકાનો અને દોરી રંગવાની દુકાનો માં લોકોની ભીડ કોવા મળી રહી છે જેમાં ઘણા લોકોએ તો માસ્ક પણ પહેર્યા નથી ના તો સોસિયલડીસ્ટનશ નો પણ લોકો ભાન ભૂલી એકત્રિત થઈ રહ્યા છે, આ દ્રશ્યો જોઈને કોરોના ભાગ ૦૩ આવે તેવું લાગી રહ્યું છે. સરકારે ઉત્તરાયણમાં છૂટછાટ ભલે આપી છે પરંતુ જનતાએ પોતેજ પોતાનું ધ્યાન રાખવું પડશે.
અમદાવાદ સમય જાહેર જનતાને અપીલ કરે છે કે તહેવાર તો આપણે હોઈશું તો આવતા વર્ષે પરિવાર સાથે મળીને ફરી ઉજવી લઈશું પરંતુ આવી મહામારીના સમયે સાવચેતી ન રાખી તો મુશ્કેલી આપના પરિવારનેજ પડશે. માટે ગમે ત્યાં જાવો બે ગજની દુરી રાખો, માસ્ક પહેરી રાખો અને સેનેટાઈઝરનો ઉપયોગ કરતા રહો
