ગત વર્ષે ઓકટોબર મહિનામાં મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એકસપ્રેસ ચાલુ કરવામાં આવી હતી, પરંતુ પ્રવાસીઓ તરફથી નબળો પ્રતિભાવ મળ્યા પછી ૨૪ નવેમ્બરથી ટ્રેનસેવા બંધ કરવામાં આવી હતી. આગામી ૧૪ ફેબ્રુઆરીના વેલેન્ટાઈન દિવસથી મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એકસપ્રેસ (નંબર ૮૨૯૦૨/૮૨૯૦૧) ચાલુ કરવામાં આવશે,
ટ્રેનના પરિવહન દરમિયાન કોરોના વાઈરસની કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. એટલું જ નહીં, મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચેના તમામ સ્ટેશન વચ્ચે તમામ સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. શરૂઆતના તબક્કા દરમિયાન તેજસ એકસપ્રેસ અઠવાડિયામાં ચાર દિવસ મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડાવાશે, જેમાં શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારનો સમાવેશ થાય છે, જયારે મુંબઈ સેન્ટ્રલ સહિત અન્ય સ્ટેશન પર પહોંચવા અને ઉપડવાનો સમય અગાઉની જેમ જ રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
