February 6, 2026
ગુજરાતઅપરાધ

પત્ની વિરુદ્ધ ૧૦ અરજી કર્યા બાદ પોલીસે પતિની ફરીયાદ લીધી

શહેરના નવરંગપુરા વિસ્તારમાં  અષ્ટકૃપા એવન્યૂમાં રહેતા ૪૭ વર્ષીય પુરુષે બુધવારે પોતાની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીડિતનો આક્ષેપ છે કે તેની પત્ની તેને અવારનવાર માર મારે છે, અને તેની ઉંમરલાયક માતા સાથે પણ સામાન્ય બાબતોમાં ઝઘડા કરી મારામારી કરે છે. ફરિયાદી સ્વપ્નિલ દોશી નવરંગપુરાના અષ્ટકૃપા એવન્યૂમાં રહે છે.

પત્નીથી પીડિત ફરિયાદીએ આ અગાઉ પત્ની વિરુદ્ધ પોલીસમાં ૧૦ જેટલી અરજીઓ આપી હતી. જોકે, દસ અરજી બાદ આખરે બુધવારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ લેવામાં આવી હતી. પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે તેમણે ૨૦૧૧માં પોતાના મા-બાપને પૂછ્યા વિના મિનલ દોશી નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. મિનલના ઝઘડાળું સ્વભાવને કારણે સ્વપ્નિલના માતાપિતાએ તેને અલગ રહેવા માટે ઘર ખીદી આપ્યું હતું, જ્યાં તેઓ પોતાની પત્ની અને આઠ વર્ષના દીકરા સાથે રહે છે. ફરિયાદીનો આક્ષેપ છે કે, અલગ થયા બાદ પણ તેમની પત્નીના સ્વભાવમાં કોઈ ફરક નહોતો પડ્યો અને તે દરેક વાતે ઝઘડા કરતી રહેતી હતી.

ઝઘડા અને મારામારી કરતી પત્નીએ પોતાને અને દીકરાને જમવાનું આપવાનું પણ બંધ કરી દીધું હોવાનું પણ ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે. જેના કારણે તેમને આજુબાજુના લોકો પાસેથી કે સંબંધીઓના ઘરેથી ખાવાનું માગવું પડતું હતું. આ વાત જ્યારે ફરિયાદીના માતા-પિતાને ખબર પડી ત્યારે તેઓ પોતાના દીકરા સાથે રહેવા માટે આવી ગયા હતા.

જોકે, ૩૦ મે ૨૦૨૦ના રોજ મિનલનો પોતાના સાસુ સાથે જોરદાર ઝઘડો થયો હતો અને તેણે સાસુને માર પણ માર્યો હતો. ત્યારબાદ ઘરેથી ફોન આવતા સ્વપ્નિલ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા. આખરે તેમણે અને તેમના આઠ વર્ષના દીકરાએ આજીજી કર્યા બાદ મિનલે સાસુને માર મારવાનું બંધ કર્યું હતું.

Related posts

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની 12 બેઠકો પર ભાજપના 11 અને કોંગ્રેસના 1 મળી કુલ 12 સભ્યોને બિનહરિફ ઘોષિત કરવામાં આવશે

Ahmedabad Samay

ગાંધીનગર: મોતીપુરાના વતની અને અમદાવાદમાં રહેતા દંપતીનું જમ્મુ-કાશ્મીરમાં રિવર રાફટિંગ દરમિયાન તણાઈ જતા મોત, વીડિયો વાયરલ

Ahmedabad Samay

અટલ બ્રિજ પર વર્લ્ડ હિયરિંગ ડેનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ ધરાવતા બાળકો સાથે કરવામાં આવ્યું

Ahmedabad Samay

અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત દ્વારા ધૈર્યરાજસિંહ ને બચાવવા જુમબેશ ચલાવી

Ahmedabad Samay

C.M વિજય રૂપાણી : લોકડાઉન-૪.૦ મંગળવારથી નવા નિયમો સાથે લાગુ.

Ahmedabad Samay

ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કર્યું જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો